આજે સાઉથના જાણીતા પુનિત રાજકુમારનો જન્મદિવસ છે. તે દક્ષિણ ભારતીય સિનેમામાં જાણીતું નામ હતું. તેની મોટી ફેન ફોલોઈંગ હતી. આજે ભલે તે આપણી વચ્ચે નથી, પરંતુ આજે પણ તે કરોડો દિલો પર રાજ કરે છે. પુનીત પ્રખ્યાત અભિનેતા રાજકુમારનો પુત્ર હતા. પુનીતના જન્મદિવસની ઉજવણી કરવા માટે ચાહકોની લાંબી લાઇન હતી, પરંતુ અભિનેતાના ગયા પછી ચાહકો તેમને તેમના હૃદયમાં યાદ કરે છે.


દિવંગત અભિનેતા પુનીતે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને બાળપણથી જ અભિનયનો ખૂબ જ શોખ હતો. તેમના અભિનયના આધારે પુનીતે વર્ષ 1985માં શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. આટલું જ નહીં, પુનીતે 30 થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી ઘણીએ રેકોર્ડ તોડ કમાણી કરી છે. ચાહકો પુનીતને અપ્પુ કહીને બોલાવતા હતા.


પુનીતનું વર્ષ 2021માં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. પુનીતના જવાથી આખું સિનેમા જગત આઘાતમાં હતું. પુનીત માત્ર ફિલ્મોનો હીરો જ નહોતા, તે વાસ્તવિક જીવનમાં પણ ઘણા લોકો માટે હીરો સાબિત થયા હતા. વિદાય વખતે પણ પુનીતે ઘણું ઉમદા કામ કર્યું હતું. પિતા ડૉ.રાજકુમારના પગલે તેમણે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં તેમના મૃત્યુ બાદ તેમની આંખોનું દાન કરવામાં આવ્યું હતું.


નોંધનીય છે કે પુનીત માત્ર એક સારા એક્ટર જ નહી પરંતુ એક સારા ગાયક પણ હતા. ચાહકો પુનિતના અભિનયની સાથે સાથે તેની ગાયકીની પણ પ્રશંસા કરતા હતા. પુનીતે વર્ષ 2002માં ફિલ્મ 'અપ્પુ'થી એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં પુનીતે પહેલીવાર ગીત ગાયું હતું, જેને દર્શકોએ પણ પસંદ કર્યું હતું. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મોએ તેમને આજે પણ અમર કરી દીધા છે.


Zwigato Box Office Prediction: શું દર્શકો પર ચાલશે કપિલ શર્માની 'Zwigato'નો જાદુ? જાણો શું કહે છે બોક્સ ઓફિસ પ્રિડિકશન


Zwigato Box Office Prediction: અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા નંદિતા દાસની સ્લાઈસ-ઓફ-લાઈફ ડ્રામા ફિલ્મ 'Zwigato' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું પ્રીમિયર બુસાન અને ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને તેના ખૂબ જ વખાણ થયા હતા. કોમેડિયન કપિલ શર્મા અને અભિનેત્રી શહાના ગોસ્વામીએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કપિલની આ મોસ્ટ અવેટેડ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ચાલો અહીં જાણીએ કે શરૂઆતના દિવસે 'Zwigato' બોક્સ ઓફિસ પર કેટલી કલેક્શન કરી શકે છે.


કપિલ શર્માની 'ઝ્વિગાટોબોક્સ ઓફિસ પર કેવી રહેશે?


બીજી બાજુ એક અહેવાલ મુજબ ફિલ્મ નિર્માતા અને ફિલ્મ વ્યવસાય નિષ્ણાત ગિરીશ જોહરે થિયેટરોમાં ઝ્વીગાટોના પહેલા દિવસના પ્રિડિકશન વિશે વાત કરી. તેમણે ફિલ્મને નોટ શો ટિપિકલ કહેતા કહ્યું કે ઝ્વીગાટો એક શહેરી ફિલ્મ છે જે મેટ્રોમાંથી ફિલ્મ જોનારાઓને લક્ષ્યાંક બનાવે છે અને તેનો બોક્સ ઓફિસ બિઝનેસ વર્ડ-ઓફ-માઉથ પર ઘણો આધાર રાખે છે. તેણે કહ્યું કે આ ફિલ્મ પ્રથમ દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર એક કરોડથી ઓછી કમાણી કરે તેવી અપેક્ષા છે. સાથે જ ગિરીશે એમ પણ કહ્યું હતું કે જો વર્ડ ઓફ માઉથ સારી રહી તો નંબર પણ સારા આવી શકે છે.


'Zwigaton' ઈમોશનલ એલિમેન્ટ્સથી ભરપૂર છે


'Zwigato' તેની જાહેરાત બાદથી હેડલાઇન્સમાં છે. ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જેમાં ઈમોશનલ ડ્રામાનાં તમામ તત્વો જોવા મળ્યાં હતાં. 'ઝ્વિગાટોજીવન પર એક અલગ અંદાજ ધરાવે છેઅને કપિલ શર્માની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીનેફિલ્મ વિશે જે બઝ બનાવવામાં આવી રહી છે તે આશાથી ભરેલી લાગે છે. બીજી તરફફિલ્મની ટીમે પણ ઝ્વીગાટોનું જોરદાર પ્રમોશન કર્યું છે