હિમાલયની યાત્રા પર રજનીકાંત, ઘોડેસવારી કરતી તસવીરો થઈ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Mar 2018 08:47 AM (IST)
1
રજનીકાતં એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે તમિલનાડૂના રાજકારણમાં લીડરશિપનો અભાવ છે અને તેની જગ્યા પૂર્ણ કરવા માટે તેમણે રાજકીય પાર્ટીની શરૂઆત કરી છે. તેમના સાથી કલાકાર મહાનાયક કમલ હાસને પણ પોતાની પાર્ટી મક્કલ નિધિ મૈયમની શરૂઆત કરી છે.
2
ગયા વર્ષ ડિસેંબરમાં તેમણે રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમની આ પ્રથમ હિમાલય યાત્રા છે.
3
રજનીકાંત દર વર્ષે હિમાલય જાય છે અને આધ્યાત્મિક ગુરૂઓને મળે છે. આ તસવીરોમાં તે સફેદ કપડા પહેરીને આધ્યાત્મિક ગુરૂ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.
4
નવી દિલ્લી: મેગાસ્ટાર રજનીકાંત છેલ્લા ધણા દિવસોથી આધ્યાત્મિત યાત્રા પર છે. સોમવારે તેમને હિમાલયમાં ઘોડેસવારી કરતા જોવામાં આવ્યા હતા. આધ્યાત્મિક યાત્રા પર નિકળતા પહેલા એરપોર્ટ પર મીડિયા સાથેની વાતમાં કહ્યું તેમની યાત્રા 15 દિવસની હશે.