નવી દિલ્હીઃ લક્ષ્મી એનટીઆર ફિલ્મને લઈને રામગોપાલ વર્મીની મુશ્કેલી ખત્મ થવાનું નામ નથી લઈ રહી. આ ફિલ્ને લઈને આંધ્ર પ્રદેશમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે કારણ કે ત્યાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે રામૂએ વિડયવાડામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું પરંતુ એરપોર્ટ પર જ આંધ્ર પ્રદેશ પોલીસે તેમને રોક્યા હતા અને તેમને રાજ્યમાં એન્ટ્રી કરવાની ના પાડી દીધી હતી. તેની સાથે જ તેમને જબરદસ્તીથી હૈદ્રાબાદ જવા માટે કહેવામાં આવ્યું. આ જાણકારી રામૂએ ટ્વિટ કરીને આપી છે.


રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરતા લખ્યું કે, ‘તમને જણાવતા દુ:ખ થઈ રહ્યું છે કે સાંજે 4 વાગ્યે થનારી પત્રકાર પરિષદને રદ્દ કરવામાં આવી છે, કેમકે પોલીસે અમને રોકી દીધા છે અને પોલીસે વિજયવાડામાં મારા પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે, તેમજ મને જબરદસ્તી હૈદરાબાદ મોકલી દીધો છે.” તેમણે ત્યારબાદ પુછ્યું કે, “લોકતંત્ર ક્યા છે? સત્યને કેમ દબાવવામાં આવે છે?”



‘લક્ષ્મી્સ એનટીઆર’ તેલુગુ દેશમ પાર્ટીનાં સંસ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી એનટી રામા રાવનાં જીવન પર આધારિત છે. ફિલ્મમાં એ ઘટનાઓને દર્શાવવામાં આવી છે જેમાં ઑગષ્ટ 1995માં એનટીઆરનાં જમાઈ ચંદ્રબાબૂ નાયડૂએ પાર્ટીની અંદર વિદ્રોહ કર્યો હતો, ત્યારબાદ એનટીઆરને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતુ. 11 એપ્રિલનાં રોજ થયેલી ચૂંટણીને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચ અને સૂપ્રીમ કૉર્ટની મંજૂરી બાદ ફિલ્મ 1 મેનાં આંધ્રપ્રદેશમાં રીલીઝ થશે.

રામ ગોપાલ વર્માએ ફિલ્મનાં નિર્દેશક રાકેશ રેડ્ડી અને અન્યની સાથે ફિલ્મનો પ્રચાર કરવા માટે 28 તારીખનાં રોજ સાંજે 4 વાગ્યે વિજયવાડામાં પ્રેસ કૉન્ફરન્સ રાખી હતી.