બોલીવુડનો ક્યો સ્ટાર બે મહિનાનો પગાર ના ચૂકવી શકતાં ડ્રાઈવરે સેટ પર કરી ધમાલ?
જો કે આ ધમાધમી પછી છેવટે રણવીરે આવવું પડ્યું ને તેણે ડ્રાઇવરને એક દિવસમાં તેનો બાકી સેલેરી આપવામાં આવશે એવી ખાતરી આપી હતી. આ ઉપરાંત તેણે ડ્રાઈવરને બીજા દિવસથી નોકરી પર આવવાની પણ ના પાડી દીધી. તેના બદલે તેણે ભણશાળીના ડ્રાઈવરથી પોતે ચલાવશે તેવું જાહેર કર્યું.
ડ્રાઇવર સૂરજ રણવીરના મેનેજર પાસેથી પોતાનો બે મહિનાનો બાકી સેલેરી માગતો હતો. મેનેજરે ડ્રાઇવરને તેના બે મહિનાના બાકી સેલેરીના 85,000 રૂપિયા આપવાની ના પાડી હતી. મેનેજરે બોડીગાર્ડને કહીને ડ્રાઇવરને બહાર લઈ જવા કહ્યું હતું. ડ્રાઈવર બહાર ના જતાં એ પછી ગુસ્સામાં બોડીગાર્ડે ડ્રાઇવર સૂરજને મારવાનું શરૂ કર્યું હતું.
આ કારણે શૂટિંગમાં વિઘ્ન પડ્યું અને ભણશાલીના સ્ટાફે બંનેને લડાઈ ન કરવા સમજાવ્યા હતા. જો કે બંને નહોતા માન્યા અને બંનેએ મોટે મોટેથી બૂમો પાડીને તેમજ ગાળાગાળી કરીને ઝગડો ચાલુ રાખ્યો હતો. ભણશાળીના સ્ટાફે તપાસ કરતાં ખબર પડી કે આખો મામલો ડ્રાઈવરના પગારનો છે.
રણવીરના ડ્રાઇવરે જાહેરમાં આક્ષેપ કર્યો કે, રણવીરે તેને તેનો બે મહિનાનો પગાર આપ્યો નથી. ‘પદ્માવતી’ના ખાસ સીન માટે રણવીર ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે રણવીરના બોડીગાર્ડ વિનાયક અને ડ્રાઇવર સૂરજ પાલ વચ્ચેની લડાઈના અવાજો આવવા લાગ્યા હતા.
સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘પદ્માવતી’ના શૂટિંગમાં જ રણવીરસિંહનો ડ્રાઈવર સૂરજ પાલ આવી ચડ્યો હતો ને તેણે બાકી પગાર માટે ધમાલ કરી મૂકી હતી. રણવીર સિંઘના બોડીગાર્ડે તેને રોકતાં બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઈ. બોડીગાર્ડ અને ડ્રાઇવર વચ્ચેની લડાઈના કારણે આ ફિલ્મના શૂટિંગમાં નાનકડો બ્રેક પડ્યો હતો.
મુંબઈઃ હિન્દી ફિલ્મોના કલાકારો પોતાના માટે લાખો રૂપિયા ઉડાવી દેતા નથી પણ બીજાંને આપવાની વાત આવે ત્યારે તેમને તકલીફ થાય છે એવું કહેવાય છે. આ કલાકારોમાં હવે રણવીરસિંહનું નામ ઉમેરાયું છે કે જેણે પોતાના ડ્રાઈવરને બે મહિનાનો પગાર ના ચૂકવતાં આ ડ્રાઈવરે સેટ પર આવીને ધમાલ કરી હતી.