‘પદ્માવત’ રિલીઝ થયાના 5માં દિવસે જ રણવીર સિંહને મળ્યો એવોર્ડ, જાણો કોના તરફથી મળ્યો આ એવોર્ડ
જણાવીએ કે, પદ્માવત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં રિલીઝ નથી થઈ. તેમ છતાં ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. પદ્માવતે પેડ પ્રિવ્યૂ દ્વારા 5 કરોડ, ગુરુવારે 19 કરોડ, શુક્રવારે 32 કરોડ, શનિવારે 27 કરોડ, રવિવારે 31 કરોડ અને સોમવારે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન પણ રેકોર્ડ તોડ રહ્યું છે.
સોમવારે રાત્રે રણવીરે ટ્વિટર પર તેની જાણકારી આપી. અમિતાભ બચ્ચન દ્વારા મોકલવામાં આવેલ પત્ર અને તેમના દ્વારા આપવામાં આવેલ બુકેની તસવીર શેર કરતાં રણવીર સિંહે લખ્યું- મને મારો એવોર્ડ મળી ગયો.
રસપ્રદ એ છે કે આ એવોર્ડ કોઈ સેરેમનીમાં નહીં પરંતુ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન તરફથી આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે જ્યારે પણ અમિતાભ બચ્ચનને કોઈ સ્ટાર્સનું પરફોર્મન્સ પસંદ આવે છે ત્યારે તે તેને તેઓ પોતાના હાથે લખેલ પત્ર મોકલીને શુભેચ્છા પાઠવે છે. પદ્માવતમાં બિગ બીને રણવીરની ભૂમિકા એટલી પસંદ આવી કે તેના વખણ કરતાં ખુદને રોકી ન શક્યા.
ખાસ કરીને ફિલ્મમાં સુલ્તાન અલાઉદ્દીન ખિલજીની નેગેટિવ ભૂમિકા નિભાવનાર રણવીર સિંહના બધા વખાણ કરી રહ્યા છે. ફિલ્મને રિલીઝ થયે માત્ર 5 દિવસ જ થયા છે. ત્યારે રણવીરને તેના બેસ્ટ પ્રદર્શન માટે એવોર્ડ પણ મળ્યો છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ હાલમાં ફિલ્મ પદ્માવતની સફળતાને એન્જોય કરી રહ્યો છે. ભારે વિવાદ બાદ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલ સંજય લીલા ભણશાળીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવાની સાથે સાથે ફિલ્મના સ્ટાર્સના પરફોર્મન્સના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.