બોલીવુડના ક્યા સુપરસ્ટારે મુંબઈની ફેમસ કોલોનીમાં બંધાવ્યાં 3000થી વધુ ટોઈલેટ?
આ કેમ્પન બીએમસીની મદદથી થઈ રહ્યું છે. જેમાં મુંબઈના 118 વિસ્તારની પસંદગી કરવામાં આવી જ્યાં લોકો ખુલામાં શૌચ કરે છે. જેમાંના 97 વિસ્તારમાં હવે ખુલામાં શૌચ નથી કરતાં એટલે કે તેના માટે શૌચાલયની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જોકે બાકીના 21 જેટલા વિસ્તારમાં આગળ ઘણું કામ કરવાનું બાકી છે.
સલમાન ખાને આગળ જણાવ્યું કે, આ મુદે કામ કરવું સારું લાગ છે. આ તો એક શરૂઆત છે. મને લાગે છે કે, અહીં 3000 જેટલા ઘર છે જેમાં દરેક ઘરમાં 6-8 લોકો રહે છે. જેમાંના કેટલાક ઘરમાં ટોઈલેટ છે. અમે જે તૂટી ગયા છે તેનું ફરીથી સમારકામ કરાવીશું અને તેને પાણીનું કનેક્શન આપીશું.
શહેરની બીજી વખત મુલાકાત લેતા સમયે સલમાન ખાતે વચન આપ્યું હતું કે તે નવા શૌચાલય બનાવડાવશે અને જે જૂના તૂટી ગયા છે તેનું સમારકામ કરાવશે. સલમાને જણાવ્યું કે, બાકીના ઘર માટે જો તેમની પાસે જગ્યા હશે તો નવા ટોઈલેટ બનાવવા માટે અમે મંજૂરી મેળવીશું.
ગયા વર્ષે સલમાન ખાનને મુંબઈ મહાનગરપાલિકા કેમ્પેનના બ્રાન્ડ એમ્બેસ્ડર બનાવવામાં આવ્યા હતા. તેનો ઉદ્દેશ ખુલામાં શૌચાલયની સમસ્યાને દૂર કરવાનો હતો. હિન્દોસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર સલમાન ખાને બીએમસીને પાંચ મોબાઈલ ટોઈલેટ્સ દાનમાં આપ્યા હતા જેમાં દરેકમાં છ સીટ હતી. સલમાન ખાને આ આપતા કોલોનીવાળાઓને ખુલામાં શૌચ ન કરવા અપીલ કરી હતી.
મુંબઈઃ બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન પોતાની એક્ટિંગ માટે જેટલા જાણીતા છે એટલા જ પોતાના સામાજિક કાર્ય માટે પણ જાણીતા છે. હાલમાં સલમાન ખાને મુંબઈની કોલોનીઓમાં આશરે 3000 જેટલા ટોઈલેટ બંધાવ્યા છે.