Shocking! કપિલ-સુનીલના ઝઘડા બાદ શો માટે ચેનલ લેશે આવો નિર્ણય? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Mar 2017 02:52 PM (IST)
1
ધ કપિલ શર્મા શોમાં ચાલી રહેલા વિવાદનો અંત કોઈ રીતે નથી આવી રહ્યો. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેના ઝઘડાને કારણે હવે શો બંધ થઈ શકે છે. અહેવાલો છે કે સોની ટીવી આ શોને ઓફ એર કરી શકે છે.
2
થોડા દિવસો પહેલા એક રિપોર્ટ એવો પણ હતો કે કલાકારો ન આવતા કપિલે શોનું શૂટિંગ રદ કર્યુ હતું. અહેવાલ મુજબ કપિલ હાલ બીકાનેરમાં તેની ફિલ્મ ફીરંગીના શૂટિંગમાં છે. અને 29 માર્ચે મુંબઈ પાછો આવશે.
3
આ અહેવાલમાં છે કે સૂત્રોના જણાવ્યા મુજબ આવતા મહિને આ શો રિન્યૂ થવાનો હતો જેની કિંમજ 106 કરોડ રૂપિયા હતી. પણ હવે આવુ ન બને તેવી શક્યતાઓ છે.
4
સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકરે શૂટિંગ માટે ન આવતા કપિલે શોમાં બીજા સ્ટેંડ અપ કોમેડિયન લાવવાની વાત કરી હતી. પણ એક અખબારના રિપોર્ટ અનુસાર ચેનલ આ વાતથી ખુશ નથી અને આ શોને બંધ કરવાનું વિચારી રહી છે.