✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાણીતી સિંગરે ફેસબુક લાઈવ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો આ રહ્યું કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 08:54 AM (IST)
1

નવી દિલ્હીઃ હરિયાણાની જાણીતી સિંગર અને ડાંસર અનામિકા બાવાએ ઉંદર મારવાની દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જે બાદ તેને હિસારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી છે. અનામિકાએ પતિ સાથે ચાલતા વિવાદ બાદ આ પગલું ભર્યું હતું.

2

અનામિકા બાવા હરિયાણાની ડાંસર અને સિંગર છે. તેણે 2500થી વધારે ગીત પર પરફોર્મ કર્યું છે. તેને હરિયાણાની બીજી સપના ચૌધરીના નામથી પણ ઓળખવામાં આવે છે. 2013માં તેણે શેખર ખન્ના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પતિ સાથે વિવાદ બાદ તે હિસારમાં માતા સાથે નવદીપ કોલોનીમાં રહેતી હતી.

3

અનામિકાનો આરોપ છે કે તેના પતિ શેખરનું એક મહિલા સાથે અફેર છે. આ મહિલા મને અનેક વખત ફોન કરીને પતિને તલાક આપવાની વાત કરે છે. થોડા દિવસો પહેલા અનામિકાએ પતિ સાથે જન્મદિવસ પર કેક કાપતો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, તે બેંગલરુમાં બાર ડાન્સર છે અને બંનેની મિત્રતા ફેસબુક દ્વારા થઈ હતી. જે બાદ ચેટિંગ કરતા કરતા બંને નજીક આવી ગયા છે. આ મહિલાએ મને ખૂબ પરેશાન કરી છે.

4

અનામિકાએ ઝેર ખાતા પહેલાં સોશિયલ મીડિયા પર લાઇવ પણ કર્યું હતું. ઉપરાંત પતિની પ્રેમિકા પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. હરિયાણામાં એની બી નામથી જાણીતી અનામિકાએ આરોપ લગાવ્યો કે તેણે આ પગલું તેના પતિના લગ્નેત્તર સંબંધના કારણે ભર્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • જાણીતી સિંગરે ફેસબુક લાઈવ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો આ રહ્યું કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.