મુંબઈઃ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના ફેન્સ માટે સારા સમાચાર છે. તે ટૂંકમાં જ લગ્ન કરવાની યોજના બનાવી રહી છે. તેની જાણકારી તેણે ખુદ એક સોમાં આપી હતી.


જ્યારે એક્ટ્રેસને તેના લગ્નને લઈને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘હુા, હું લગ્ન માટે પ્લાનિગં કરી રહી છું.’ જ્યારે તને પૂછવામાં આવ્યું કે તે પતિમાં કેવા ગુણ ઈચ્છે છે. તો કાજલે કહ્યું કે, ‘ઘણી બધી વસ્તુ હોવી જોઈએ, પરંતુ સૌથી જરૂરી એ છે કે તે પઝેસિવ હોય, ધ્યાન રાખનારો હોય અને આધ્યાત્મિક હોય.’



આ દરમિયાન એક્ટ્રેસે વાત કરતા જણાવ્યું કે, ‘હું ખૂબ જ આધ્યાત્મિકતાવાદી છું. મારી પાસે ભગવાન શિવની નાનકડી મૂર્તિ છે જેને હું દરેક જગ્યાએ સાથે લઈને જાઉં છું.’

અજય દેવગણ સાથે ‘સિંઘમ’, અક્ષય કુમાર સાથે ”સ્પેશિયલ 26′ ઉપરાંત સાઉથથી બ્લૉકબસ્ટર ‘મગધીરા’ની એક્ટ્રેસ રહી ચૂકેલી કાજલને જ્યારે ‘કિલ, હુક અપ એન્ડ મેરી’નો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, તે રામ ચરણ તેજાને મારવા માગશે, એન ટી રામારાવ જૂનિયર સાથે હુકઅપ કરવા માગશે અને પ્રભાસ સાથે લગ્ન કરવા માગશે.