નવી દિલ્લી : ઈંદિરા ગાંધીની હત્યા બાદ ભડકેલા શિખ દંગા પર આધારિત ફિલ્મ ’31 ઓક્ટોબર’ માં અભિનેત્રી સોહા અલી ખાન એક શિખ મહિલાની ભૂમિકામાં જોવા મળશે.

સોહા અલી ખાને ફિલ્મના કારણે પંજાબની ચૂંટણી પર અસર અને ફિલ્મમાં પર થઈ રહેલી રાજનીતિ વિશે વાત કરી હતી. સોહાએ કહ્યું આ ફિલ્મ શિખ દંગાની હકિકત ઉજાગર કરશે. એવા લોકો જેમને આ દંગા વિશે ખ્યાલ નથી તેવા લોકો વાસ્તવિકતા સમજી શકશે, આ ફિલ્મ જોઈ લોકો એ દુખ સમજી શકશે, જેમાથી પિડીતો પસાર થયા છે.

સોહાએ કહ્યું આવતા વર્ષે પંજાબમાં ચૂંટણી છે. આ ફિલ્મ કોઈપણ રાજકીય પાર્ટીનો વિરોધ નથી કરતી, પરંતુ ફિલ્મમાં માત્ર વાસ્તવિકતા દેખાડવામાં આવી છે. જેથી થોડી ધણી અસર પંજાબની ચૂંટણીઓ પર પડી શકે છે.