આ પહેલા સોનમ કપૂરે પણ મોહન ભાગવતના નિવેદનની નિંદા કરી હતી. તેણે કહ્યું હતું કે, કોણ સમજદાર વ્યક્તિ આવી વાતો કરે છે. આ મૂર્ખતાભર્યુ નિવેદન છે.
ભાગવતે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, સમાજમાં છૂટાછેડાના મામલા વધી રહ્યા છે. સુખી અને શિક્ષિત પરિવારોમાં છૂટાછેડા વધારે થાય છે. કારણકે શિક્ષણ અને સુખ-સમૃદ્ધીથી વ્યક્તિમાં અહંકાર આવે છે. જેના પરિણામે પરિવારમાં મતભેદ થાય છે અને તૂટવા લાગે છે. ભારતમાં હિન્દુ સમાજનો કોઈ વિકલ્પ નથી.