નવી દિલ્હીઃ કાશી-મહાકાલ એક્સપ્રેસમાં ભગવાન શિવ માટે બેઠક અનામત રાખવા પર AIMIMના વડા ઔવેસીએ સવાલ ઉઠાવ્યા હતા. આ વિવાદ પર ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને સ્પષ્ટતા કરી હતી કે ટ્રેન અને મુસાફરોની ભલાઇ માટે ટ્રેનમાં ભગવાન શિવને એક બર્થ આપવામાં આવી હતી. આ વ્યવસ્થા ફક્ત પ્રથમ દિવસ માટે જ હતી.


16 ફેબ્રુઆરીના રોજ કાશી-મહાકાલ એક્સપ્રેસના ઉદ્ધાટન માટે IRCTC એ અનેક તૈયારીઓ કરી હતી. ટ્રેનને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા અને રવાના થતા અગાઉ પૂજાપાઠ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આઇઆરસીટીસીએ કહ્યુ કે, જે રીતે ટ્રેનના ઉદ્ધાટન માટે સજાવટ કરાઇ હતી તેવી જ રીતે સારા ભવિષ્ય માટે તેમાં ભગવાન શિવને એક બર્થ આપવામાં આવી હતી. આ વ્યવસ્થા પ્રથમ દિવસ માટે જ હતી.