Srideviની દીકરીઓને ટ્રોલ કરનારને અર્જુન કપૂરની બહેને આપ્યો જડબાતોડ જવાબ...
અંશુલાએ ફેનની કમેન્ટ ડિલીટ અને લખ્યું કે, મારી બહેનો વિષે અપશબ્દોનો ઉપયોગ ન કરો. આ વાત મને પસંદ નથી માટે મેં તમારી કમેન્ટ ડિલીટ કરી નાખી છે. જો કે ભાઈ અને મારા પ્રત્યેના તમારા પ્રેમને હું સમજી શકુ છુ. તમારા પ્રેમ માટે આભાર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પોસ્ટ પર અર્જુન કપૂરના એક ફેને જ્હાન્વી અને ખુશી કપૂર માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો. સાથે તેણે બોની કપૂર વિષે પણ ખરાબ વાતો લખી. અંશુલાએ પોતાના પિતા અને બહેનો પર કરવામાં આવેલી આ કમેન્ટને ડિલીટ કરી નાખી.
અર્જુન પણ પિતાના સપોર્ટ માટે દુબઈ ગયો હતો અને અંતિમ સંસ્કાર સુધીની પ્રક્રિયામાં સાથે જ રહ્યો હતો. તાજેતરમાં જ અંશુલા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે જેમાં દરેક સ્થિતિનો હિંમતથી સામનો કરવાની વાત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની સાવકી દીકરી અંશુલા કપૂરે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આમ તો બોની કપૂરના પહેલા પત્નીના સંતાનો અર્જુન કપૂર અને અંશુલા કપૂરના શ્રીદેવી અને તેમની દીકરીઓ સાથે સારા સંબંધો નહોતા, પરંતુ શ્રીદેવીના મૃત્યુ વખતે આ દુ:ખની ઘડીમાં બન્ને ભાઈ બહેન પિતા બોની અને સાવકી બહેનો સાથે ઉભા રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -