શ્રીદેવીના નિધન પર બૉલીવુડમાં શોક, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શ્રીદેવીએ એક લગ્ન સમારંભમાં હાજરી આપવા દુબઇ ગઇ હતી, તેની ઉંમર 54 વર્ષની હતી, ત્યાં તેને હાર્ટ એટેક આવવાથી તબિયત અચનાક બગડી અને મૃત્યુ થઇ ગયું. શનિવારે રાત્રે અને રવિવારે સવારે લોકોને જેવા શ્રીદેવીના નિધનના સમાચાર મળ્યા તેમને ટ્વીટર પર શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવાનુ શરૂ કરી દીધું.
નવી દિલ્હીઃ બૉલીવડમાં પોતાની બીજી ઇનિંગ રમી રહેલી જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીના નિધનથી દેશભરમાં તેના પરિવાર માટે સંવેદનાઓ વ્યક્ત થઇ રહી છે. બૉલીવુડ અભિનેતા, રાજનેતા, ક્રિકેટર અને બીજા અનેક ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓએ તેમના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન કાર્યાલય તરફથી શ્રીદેવી નિધન પર શોક વ્યક્ત કર્યો, પીએમ નરેન્દ્ર મોદી તરફથી ટ્વીટ કરવામાં આવેલા આ ટ્વીટમાં લખ્યું, 'પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવના અચાનક મૃત્યુંથી હું દુઃખી છું, લાંબી કેરિયરમાં તેમને અલગ અલગ પ્રકારની યાદગાર ભૂમિકા નિમાવી. હું આ દુઃખની ઘડીએ તેમના પરિવાર સાથે છું. તેમની આત્માને શાંતિ મળે.'
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી લખ્યું 'ફિલ્મ સ્ટાર શ્રીદેવીના મોતથી હું દુઃખી છું, તે લાખો ફેન્સનું દીલ તોડીને ચાલી ગઇ છે. તેની લમ્હે અને ઇગ્લિંસ વિંગ્લિશ જેવી ફિલ્મો અન્ય કલાકારો માટે પ્રેરણા છે. તેના પરિવાર અને સગાસંબંધીઓ માટે માટે સેવેદનાઓ છે.'