શ્રીદેવીએ યુવાન દેખાવવા માટે કરાવી હતી 29 સર્જરી, શું તે જ બન્યું મોતનું કારણ?
આમાંથી એક સર્જરી બરાબર ન હતી થઇ શકી, જેના કારણે શ્રીદેવીને તકલીફો પડતી હતી. સાઉથ કેલિફોર્નિયાના એક કૉસ્મેટિક સર્જનની દેખરેખ હેઠળ શ્રીદેવી આ તકલીફોનું નિવારણ લાવવા માટે છેલ્લા કેટલાય સમયથી દવાઓ પણ લઇ રહી હતી, આને ‘ડાયટ પિલ્સ’ કહેવામાં આવે છે.
શ્રીદેવીનું મોત હાર્ટ એટેકથી થવા પાછળ ડૉક્ટર્સનું કહેવું છે કે પૉસ્ટ મીનોપૉઝ બાદ મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ખાસ કરીને પુરુષો અને મહિલાઓમાં હ્રદયને લગતી બિમારીઓ 3:1 છે પણ મીનોપૉઝ આ બરાબર થઇ જાય છે.
આમ તો સુંદર દેખાવવા માટે માત્ર શ્રીદેવી જ એક એક્ટ્રેસ નથી જેને જેને જવાન દેખાવવા માટે સર્જરી કરાવી હોય. આ લિસ્ટમાં કાજોલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, વાણી કપૂર, બિપાશા બાસુ સહિતની તમામ એક્ટ્રેસનું નામ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, ભાણેજના લગ્નમાં હાજરી આપવા શ્રીદેવી દુબઇ ગઇ હતી, અંતિમ સમયમાં એક્ટ્રેસની સાથે પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી કપૂર પણ સાથે હતી, તેના આકસ્મિક નિધનથી બોલીવુડ જગતમાં શોકની લહેર ફરી વળી છે.
શ્રીદેવીએ પોતાના પેટની ચરબી ઓછી કરવા માટે પણ ટ્રીટમેન્ટ કરાવી હતી, ચહેરાથી જવાન દેખાડવા માટે તે બોટાક્સનો યૂઝ કરતી હતી, છેલ્લા થોડાક દિવસોમાં તેની લિપ સર્જરી પણ ચર્ચામાં હતી. જોકે તેને આ વાતનો હંમેશા ઇનકાર કર્યો હતો. તેની કેટલીક લેટેસ્ટ ફોટોઝ આ વાતનો પુરાવો પણ આપે છે.
રિપોર્ટ્સનું માનીએ તો તે પોતાને જવાબ દેખાડવા માટે શ્રીદેવી મોટા પાયે એન્ટી એન્જિંગ દવાઓનું સેવન કરી રહી હતી, તેને લગભગ 29 સર્જરી કરાવી હતી.
મુંબઇઃ પોતાના દમદાર અભિનયથી લાખો લોકોના દિલ પર રાજ કરનારી બૉલીવુડ સ્ટાર શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. શનિવારે રાત્રે દુબઇની એક હૉટમાં કાર્ડિક અરેસ્ટ કારણે તેનું નિધન થઇ ગયું. તેના છેલ્લા વીડિયો પરથી લાગતું હતું કે તે એકદમ ફિટ હતી, પણ કેટલાક રિપોર્ટ્સ શ્રીદેવીના મોતનું કારણ તેની સર્જરી બતાવે છે.