કપિલે માગી સુનિલની માફી, સુનિલે આપ્યો કેવો જડબાતોડ જવાબ અને કરી શું મોટી જાહેરાત ? જાણો

સુનીલ ગ્રોવરે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. સુનીલ ગ્રોવરે ટ્વિટર પર કપિલ શર્માને ટેગ કરીને મેસેજ કર્યો છે, ''ભાજી!! હા, તેં મને ઘણો જ દુઃખી કર્યો છે. તમારી સાથે કામ કરવાની સાથે ઘણું જ શીખવા મળ્યું છે. માત્ર એક જ સલાહ છે કે માત્ર પ્રાણીઓ જ નહીં પરંતુ માણસોને પણ માન આપવું જોઈએ. ગ્રોવરે કપિલ શર્મા પર કટાક્ષ કરતાં આગળ લખ્યું છે કે, બધા જ વ્યક્તિ તમારા જેટલા સફળ નથી હોતાં. બધા જ તમારી જેટલા ટેલેન્ટેડ હતા નથી. જો બધા તમારા જેટલાં ટેલેન્ટેડ હોય તો તમારી કિંમત શું રહેશે ? તેથી જ તેમના પર થોડી દયા રાખવી જરૂરી છે.
મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્મા તથા સુનીલ ગ્રોવરનો ઝઘડો બરાબર જામ્યો છે અને હવે આ મામલો ટ્વિટj વોરમાં ફેરવાયો છે. કપિલે સુનિલ ગ્રોવર અને ચંદન પ્રભાકર સાથે ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતાં ગેરવર્તન કર્યુ તેના કારણે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે યુધ્ધ જામી ગયું છે.
ગ્રોવરે લખ્યું છે કે, જો કોઈ વ્યક્તિ તારી ભૂલને સાચી કરવાનો પ્રયાસ કરે તો તેની સાથે ગાળા-ગાળી કરવાની જરૂર નથી. કોઈ મહિલાની સામે અપશબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તે મહિલાને તમારા સ્ટારડમ સાથે કોઈ જ લેવા દેવા નથી. માત્ર સંયોગને કારણે તેમને તમારી સાથે ટ્રાવેલ કરવાની તક મળી હતી.
આ યુદ્ધના પગલે સુનિલ ગ્રોવર કપિલ શર્મા શોમાં શૂટિંગ માટે ના આવતાં કપિલે ટ્વિટ કરીને સુનીલની માફી માંગી હતી. કપિલે ટ્વિટમાં લખ્યું કે,'પાજી સુનીલ ગ્રોવર સોરી, જો મેં તને અજાણતામાં દુઃખ પહોંચાડ્યું હોય તો. તું સારી રીતે જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરૂં છું. હું પણ અપસેટ છું. પ્રેમ અને શુભકામનાઓ હંમેશાં રહેશે.'
ગ્રોવરે છેલ્લે લખ્યું છે કે, તમારો આભાર કે મને એ ભાન કરાવ્યું કે એ તમારો શો હતો અને તમારી પાસે સત્તા છે કે તમે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે બહાર હાંકી કાઢી શકો છો. તમે ઘણાં જ રમૂજી છો અને તમારા ફિલ્ડમાં બેસ્ટ કરો છો પરંતુ ક્યારેય 'ભગવાન'ની જેમ વર્તન કરવું નહીં. છેલ્લે સુનિલ ગ્રોવરે કપિલ શર્માને શુભેચ્છા પણ આપી છે કે, તમારી જાતની સારી કાળજી રાખો અને તમને હજી પ્રસિદ્ધિ તથા સફળતા મળે તેવી શુભેચ્છા...'' સુનિલ ગ્રોવરના આ ટ્વિટ પછી તે કપિલ શર્મા શોમાં કામ કરે તેવી શક્યતા નથી. તેની ટ્વિટને કપિલ શર્મા શો છોડવાની જાહેરાત તરીકે જ જોવામાં આવે છે. (તસવીર- કપિલના ટ્વિટ)