ક્યા ફિલ્મ સ્ટારે ફેરનેસ ક્રિમની જાહેરખબરમાં કામ કરવાની ના પાડી, 15 કરોડની ઓફર ફગાવી? જાણો વિગત
છેલ્લે રાબ્તામાં દેખાયેલા સુશાંત સિંહ રાજપૂત પોતાની આગામી ફિલ્મ ચંદા મામા દુર ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે સારા અલી ખાન સાથે 'કેદારનાથ'માં પણ જોવા મળશે.
સુશાંત સિંહે કહ્યું કે, એક જવાબદાર એક્ટર અને નાગરિક હોવાના નાતે આપણે કોઇ એવી જાહેરાત સાથે ના જોડાવવું જોઇએ, જે સ્કીનના કોઇપણ એક રંગને બીજા રંગથી સારો બતાવે.
ઉલ્લેખનીય છે કે, ચહેરાના રંગને નિખારવા માટે જે ક્રિમને પ્રમૉટ કરવામાં આવે છે તે અંગે ગયા વર્ષે અભય દેઓલે બૉલીવુડ સેલિબ્રિટીઝ પર કટાક્ષ કર્યો હતો, ત્યાબાદ આ રીતની એડ કરવારા લોકોમાં ચર્ચા શરૂ થઇ ગઇ હતી. હવે સુશાંત સિંહ રાજપૂતે અભય દેઓલના કેમ્પેનને આગળ વધારતા 15 કરોડ રૂપિયાની ઓફરને ઠુકરાવી દીધી છે.
નવી દિલ્હીઃ ચહેરાનો રંગ નિખારવા વાળી ક્રિમને પ્રમૉટ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ડિબેટ ચાલી રહી હતી, જેમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે. સુશાંત સિંહ રાજપૂતે ફેયરનેસ પ્રૉડક્ટ્સની એડ કરવાની ના પાડી દીધી છે, જે એડની ઓફર 15 કરોડ રૂપિયા છે.
રિપોર્ટ્સ અનુસાર, સુશાંત સિંહે તાજેતરમાંજ એક ફેરનેસ ક્રિમની એડને પ્રમૉટ કરવાની ઓફરને ઠુકરાવી દીધી. સુશાંત સિંહ માને છે કે, આ રીતની પ્રૉડક્ટ્સને પ્રમૉટ કરવાથી સમાજમાં ખોટો મેસેજ જાય છે.