✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘તારક મહેતા.....’માં હજી સુધી નથી મળ્યું ‘ડો. હાથી’નું રિપ્લેસમેન્ટ, કારણ જાણીને ચોંકી જશો....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2018 10:31 AM (IST)
1

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા આજકાલ એક અનોખી પરેશાનીમાં છે. સબ ટીવીના સૌથી લોકપ્રિય શોના એક કેરેકટરનું રિપ્લેસમેન્ટ હજુ સુધી મળી રહ્યું નથી. છેલ્લા થોડા દિવસોથી આ શો તેમના વગર જ ચાલી રહ્યો છે.

2

શોમાં ડો. હાથીનો રોલ કરતાં અભિનેતા કવિ કુમાર આઝાદનું દોઢ મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારથી તેમનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવી રહ્યું છે, પરંતુ આટલા દિવસો વીતી જવા છતાં પાત્ર માટે લાયક એક્ટર નથી મળ્યો.

3

અહેવાલ અનુસાર કવિ કુમાર આઝાદના નિધન બાદથી જ નિર્માતા ડો. હાથીની ભૂમિકા માટે ઓડિશન લઈ રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ એક્ટરને કાસ્ટ નથી કરી શકાયો.

4

અહેવાલ અનુસાર તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા નવા ડો. હાથીની ભૂમિકા માટે એક એવા એક્ટરને શોધી રહ્યા છે જેની કોમિક ટાઈમિંગ આઝાદની સાથે મેળ ખાતી હોય. જોકે હજુ સુધી એવું બની શક્યું નથી.

5

સ્પોટબોય ડોટ કોમે એક સૂત્રને ટાંકીને કહ્યું કે, ડો. હાથીની ભૂમિકામાં કવિ કુમાર આઝાદને જોતા જ હસવું આવતું હતું. તે માત્ર જાડા જ નહતા પરંતુ તેમના ચહેરાના હાવભાવને કારણે પણ દર્શકોને આનંદ આવતો હતો.

6

એવા પણ અહેવાલ આવ્યા છે કે આગામી એપિસોડમાં ડો. હાથીની ભૂમિકાની ખૂબ જ જરૂરત છે. માટે નિર્માતા ઝડપથી ભૂમિકા માટે કોઈ એક્ટરને ફાઈનલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

7

નિર્માતા ડો. હાથીની પસંદગીમાં દરેક વાતનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે જેથી કોઈ ચૂક ન થાય. નિર્માતાઓ ઇચ્છે છે કે, ડો. હાથીની ભૂમિકા કરનારા અભિનેતા આઝાદની જેમ જ દર્શકોને પ્રભાવિત કરનારા છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘તારક મહેતા.....’માં હજી સુધી નથી મળ્યું ‘ડો. હાથી’નું રિપ્લેસમેન્ટ, કારણ જાણીને ચોંકી જશો....
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.