✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'ટપુ' ભવ્ય ગાંધીએ સીરિયલ છોડવા અંગે શું કહ્યું? કર્યા ક્યા ગંભીર આક્ષેપ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Mar 2017 12:21 PM (IST)
1

ભવ્યે આ શોમાં 2008થી કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. હવે તેણે સીરિયલ છોડવાનો નિર્ણય કર્યો છે ત્યારે તે બી.કોમ.ના બીજા વર્ષમાં છે અને મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરે છે. ભવ્ય ગાંધીની એક મહિનાની કમાણી 2.25 લાખ રૂપિયા છે.

2

ભવ્ય 8 વર્ષથી શો કરી રહ્યો હતો પણ પોતાની અવગણનાથી થાકીને તેણે ગુજરાતી ફિલ્મ સાઈન કરી. ભવ્ય હવે ગુજરાતી ફિલ્મો ચમકશે અને તેની પહેલી ફિલ્મનું 50 ટકા શૂટિંગ પણ પુરૂં થઈ ગયું છે. ભવ્ય ગુજરાતી સિનેમામાં હીરો તરીકે જોવા મળશે. આમ તે નાના પડદેથી મોટા પડદા પર આવી રહ્યો છે.

3

તેમણે ઉમેર્યું કે, શોના પ્રોડ્યુસર અસિત મોદી સાથે આ મામલે વાતચીત થઈ હતી પણ તેમનો અભિગમ જોતાં તેમને હવે ભવ્યની જરૂર નથી તેવું લાગતું હતું. ભવ્યને તેઓ કામ આપવા જ માગતા નહોતા. તેના કારણે એક સમયે મહિનામાં 22-23 દિવસના બદલે હવે 2-3 દિવસનું જ શૂટિંગ રહેતું હતું.

4

ભવ્ય સાથે સંકળાયેલાં અન્ય લોકોએ દાવો કર્યો કે, શોના સર્જકોએ તેને કામ આપવાનું બંધ કરી દીધું હતું અને છેલ્લા 6-8 મહિનાથી તેના સીન્સ કાપી નાંખવામાં આવતા હતા. ભવ્ય શોમાં તે ખૂબ જ ઓછો દેખાતો હતો. મહિનામાં માત્ર 2-3 દિવસ જ તેને બોલાવતા હોવાથી તે આખો મહિનો નવરો જ બેસી રહેતો હતો.

5

ભવ્યે દાવો કર્યો છે કે, તેના પાત્રમાં વિકસાવી શકાયું હોત પણ તેના પાત્રને સત અવગણીને તેને આગળ વધવાની તક જ આપવામાં આવી નહોતી. તેણે અનેકવાર આ અંગે વાત કરી હતી પરંતુ તે એપિસોડમાં ભાગ્યે જ દેખાતો હતો. તેના કારણે કંટાળીને જ તેણે નક્કી કર્યું કે હવે તે આ શો છોડી દેશે.

6

ભવ્ય ગાંધીએ એવો દાવો કર્યો છે કે, સીરિયલના સર્જકો તેને સતત અવગણી રહ્યાં હતાં તેથી નાછૂટકે તેણે સીરિયલ ચોડવી પડી. ભવ્ય ગાંધીએ સર્જકોને પોતાના મનની વાત જણાવીને કહ્યું હતું કે તેના પાત્રને સાઈડલાઈન કરી દેવામાં આવ્યું છે, જે તેને ગમે એવી વાત નહોતી પણ, સર્જકોએ તેની વાત સાંભળી જ નહીં.

7

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નવા ટપુની એન્ટ્રીનો તખ્તો તૈયાર છે ત્યારે આ સીરિયલના નિર્દેશક અસિતકુમાર મોદીએ જૂના ટપુ ભવ્ય ગાંધી સામે બળાપો કાઢીને ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ ભવ્ય ગાંધીએ પણ પોતે આ સીરિયલ કેમ છોડી તેનો ખુલાસો કરીને સર્જકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'ટપુ' ભવ્ય ગાંધીએ સીરિયલ છોડવા અંગે શું કહ્યું? કર્યા ક્યા ગંભીર આક્ષેપ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.