મુંબઇઃ વર્ષ 2020માં કોરોનાના પ્રકોપના કારણે કઠીન પરિસ્થિતિઓની વચ્ચે આખી દુનિયાને લૉકડાઉનનો સામનો કરવો પડ્યો હતો, આ દરમિયાન લોકોને મનોરંજન માટે ટીવી પર આવેલા કેટલાય શૉને રી રન કરીને દર્શકોનુ મનોરંજન પુરુ પાડવામાં આવ્યુ હતુ. કંઇક આવુ જ 'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2'ની સાથે પણ થયુ. આ નવી સિઝનમાં આ શૉના મુખ્ય સ્ટાર્સ ફરી એકવાર જોવા મળશે. 


જેમા મુખ્ય કલાકાર- પૂજા ગૌર અને અરહાન બહલની સાથે અનુપમ શ્યામ પણ દેખાશે, જે દર વખતે દર્શકોનુ મનોરંજન એક નવા અંદાજમાં કરશે. તે પોતાના ઘોંટાની સાથે સાથે પોતાના રૉમેન્ટિંક અંદાજ અને લોકગીતથી પણ દર્શકોનુ મનોરંજન કરશે. એટલે કે 'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2' આવશે. 


'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2'ને ફરીથી આવવા પર ઉત્સુક અભિનેતા અનુપમ શ્યામે કેટલીક ખાસ વાતો કહી. તેને કહ્યું- મને મારા ઘરે ફરીથી પરત ફરતા સારુ લાગી રહ્યું છે. આ શૉમાં કામ કરવાની એક અલગ જ મજા છે. મને આનંદ છે કે ક્રિએટિવ પ્રૉડ્યૂસર પર્લ ગ્રેએ મને ફરી એકવાર સજ્જનસિંહ બનવાનો મોકો આપ્યો. મને ટીવી પર જ સજ્જન સિંહ ઓળખાણ મળી છે તે માત્ર દર્શકોના કારણે છે. 


તેમને કહ્યું મને દર્શકો હંમેશા પુછતા હતા કે 'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2' ક્યારે આવશે. હું કહેતા કહેતા થાકી ગયો કે મને કંઇજ ખબર નથી. પરંતુ હવે દર્શકોની ઇચ્છા પુરી થઇ ગઇ છે.