Shehnaaz Gill On Asim Riaz Statement On Sidharth: 'બિગ બોસ 13'ના રનર અપ રહેલા અભિનેતા અસીમ રિયાઝ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેણે તેના નજીકના મિત્ર સિદ્ધાર્થ શુક્લા અને 'બિગ બોસ'ના નિર્માતાઓને ટોણા મારીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હાલમાં જ આસિમે કહ્યું હતું કે સિદ્ધાર્થનો 'બિગ બોસ 13' જીતવાનો એક પ્લાન હતો. જેના પર શહેનાઝ ગિલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.


સિદ્ધાર્થ શુક્લાને લઈને અસીમનું નિવેદન


સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અસીમ રિયાઝે 'બિગ બોસ'ના મેકર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેણે કહ્યું હતું કે, “મારા સમય દરમિયાન તેઓએ શું કર્યું. તેઓ ઇચ્છતા ન હતા કે હું જીતું. આજે આપણે 15 મિનિટ માટે ઓનલાઈન વોટિંગ ખોલીશું, જેણે જીતવું છે, તેને વિનર બનાવો. અરે યાર ચોખ્ખું કહો કે તમે નહોતા ઇચ્છતા કે હું જીતુ, કોઈ વાંધો નહી, તમે આટલું કિલયર કરી દીધું છે તો અમારે આના પર વિશ્વાસ રાખવો પડશે






શહનાઝના ભાઈને આસિમને આપ્યો જડબાતોડ જવાબ


અસીમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની માટે મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે સિદ્ધાર્થ શુક્લાના ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. આસિમના આ નિવેદન પર સિદ્ધાર્થના નજીકના શહનાઝ ગિલના ભાઈ શાહબાઝે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. શાહબાઝે નામ લીધા વગર સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, "કેટલાક લોકો હજુ પણ એ નથી સમજી શક્યા કે સિંહ માત્ર એક છે અને માત્ર એક જ રહે છે." બધા શહનાઝ ગીલની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા.






અસીમના નિવેદન પર શહનાઝની પ્રતિક્રિયા


હવે એક અહેવાલ મુજબ શહનાઝ ગિલે સિદ્ધાર્થને લઈને અસીમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. એક સ્ત્રોતને ટાંકીને પોર્ટલે લખ્યું છે કે શહનાઝ આસિમના નિવેદન પર કંઈ બોલી રહી નથી કારણ કે તે જાણે છે કે લોકો સિદ્ધાર્થને ખૂબ પસંદ કરે છે અને તેઓ નફરત કરનારાઓને જવાબ કેવી રીતે આપવો તે જાણે છે. શહનાઝે આ મામલે મૌન રાખવાનો નિર્ણય લીધો છે.



જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.