Tunisha Sharma Suicide Case: તુનિષા શર્માનો આત્મહત્યા કેસ દરરોજ કોઈને કોઈ નવા નિવેદન અને વિવાદ સાથે જોડાયેલો જોવા મળી રહ્યો છે. હાલમાં જ આરોપી શીજાનના પરિવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં શીજાનની બહેનો ફલક અને શફાક નાઝે જણાવ્યું હતું કે તુનીષા અને શીજાન વચ્ચે કોઈ બ્રેકઅપ થયું નથી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બૂમો પાડતી અને આ સવાલનો જવાબ આપતી જોવા મળી હતી. આ નિવેદન પર સ્પષ્ટતા આપતા ફલકે બીજો વીડિયો શેર કર્યો છે.


ફલક નાઝે બ્રેકઅપના નિવેદન પર સ્પષ્ટતા કરી


ફલક નાઝે પ્રેસ કોન્ફરન્સના થોડા સમય બાદ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે કહેતી જોવા મળી રહી છે કે 'બ્રેકઅપ થયું કે નહીં તે પ્રશ્નને ઘણો ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે, તેથી હું ફરીથી કહું છું કે જ્યારે આ પીસી શરૂ થઇ ત્યારે જ અમે કહ્યું હતું કે બ્રેકઅપ સારી રીતે થયું છે અને બંનેની સંમતિથી થયું છે. જેમાં કોઈની તરફથી કોઈ લડાઈ કે ઝઘડો થયો ન હતો. જ્યારે પીસી થઈ રહી હતી ત્યારે ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જેના કારણે આ મૂંઝવણ સર્જાઈ છે.






 


પ્રેસ કોન્ફરન્સનો વીડિયો વાયરલ થયો હતો


આ પહેલા પ્રેસ કોન્ફરન્સના વાયરલ થયેલા વીડિયોમાં શીજાનની બહેન શફાક કહી રહી છે કે દરેકના સંબંધ હોય છે. દરેકનો બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોય છે.  પરંતુ જો કોઈ વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહી હોય, ડિપ્રેશનમાં હોય તો આપણે સમજવું જોઈએ. આ પછી જ્યારે બ્રેકઅપ વિશે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે ફલક નાઝ વચ્ચેથી બૂમ પાડે છે કે બ્રેકઅપ નથી થયું. ફલકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ અને સવાલ પૂછતા જોવા મળે છે. આ ઉપરાંત, યુઝર્સ કસ્ટડી દરમિયાન શીજાનના બ્રેકઅપની વાત સ્વીકારવાની બાબતને પણ ટાંકી રહ્યા છે અને પૂછે છે કે શા માટે ભાઈ અને બહેન અલગ-અલગ દાવા કરી રહ્યા છે.


 


તુનીશાએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી


 


હકીકતમાં, 24 ડિસેમ્બરની સવારે, ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ મુંબઈમાં સીરિયલ અલી બાબ-દાસ્તાન-એ-કાબુલના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનીશાએ તેના કો-એક્ટર શીજાનના મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી હતી. આ પછી શીજાન પર ઘણા ગંભીર આરોપો લાગ્યા, ત્યારબાદ પોલીસે શીજાનની ધરપકડ કરી. કોર્ટે શીજાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.