Tunisha Sharma Suicide Case: તુનિષા આત્મહત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે પોલીસ સતત શીજાન ખાનની પૂછપરછ કરી રહી છે. હવે વાલિવ પોલીસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તુનિષાએ આત્મહત્યા કરી તે પહેલા તેની શીજાન ખાન સાથે સેટ પર ભારે બોલાચાલી થઈ હતી. આ દરમિયાનના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથ લાગ્યા છે.


તુનિષા શીજાનને ભૂલી શકતી ન હતી


પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે શીજાનને આ વિશે પૂછવામાં આવ્યું તો, તે યોગ્ય જવાબો નથી આપી રહ્યો અને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, બ્રેકઅપ બાદ તુનિષા શીજાન ખાનને ભૂલી શકી નહોતી. એક જ સેટ પર કામ કરવાને કારણે તુનિષા માટે શીજાનને ભૂલવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું.


તુનિષાની માતાએ શીજાન પર આ આરોપો લગાવ્યા હતા


તુનિષા શર્માની માતા વનિતા શર્મા શીજાન ખાન પર ગંભીર આરોપ લગાવી રહી છે. વનિતાએ શીજાન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ગત રોજ પોલીસને આપેલા નિવેદનમાં તેણે કહ્યું હતું કે, શીજાન ડ્રગ્સ પણ લે છે. દરમિયાન તુનીષાની માતાએ ખુલાસો કર્યો હતો કે, શીજને તેની પુત્રી તુનિષાને જે દિવસે બ્રેકઅપ થયું તે દિવસે થપ્પડ પણ મારી હતી.


શીજને તુનીષાને થપ્પડ મારી


તુનિષાની માતાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, હું એ વાત માની નથી શકતી નથી કે તે 15 મિનિટમાં (આત્મહત્યા પહેલા) શું થયું કે તેણે આ પગલું ભર્યું." તુનિષા આત્મહત્યા કરે તેમ હતી જ નહીં. બંને વચ્ચે ઝઘડો થતો હતો. શીજાન તુનિષા સાથે મારપીટ કરતો હતો, હું તેના વિશે કંઈ કહી શકુ તેમ નથી, પરંતુ બ્રેકઅપના દિવસે શીજાને તુનિષાને થપ્પડ મારી હતી અને તે ખૂબ રડી હતી. તુનિષાએ મને પણ કહ્યું હતું કે, મારો ઉપયોગ કરવામાં આવ્યો છે. મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે.


તુનિષા શર્માએ શૂટિંગ દરમિયાન આત્મહત્યા કરી લીધી 


ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બર 2022ના રોજ તુનીષા શર્માએ 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આત્મહત્યાના 15 મિનિટ પહેલા તેણે શીજાન સાથે વાત કરી રહી હતી. તુનિષાની માતાએ વાલિવ પોલીસ સ્ટેશનમાં શીજાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.