Tunisha Sharma Suicide Case: આજે કોર્ટ શીઝાન ખાનના જામીન પર પોતાનો ચુકાદો સાંભળાવશે. જે તુનિષા શર્મા આત્મહત્યા કેસના સંબંધમાં જેલના સળિયા પાછળ છે. 11 જાન્યુઆરી 2023ના રોજ વસઈ કોર્ટે શીજાન ખાનની જામીન અરજી પર ચુકાદો 13 જાન્યુઆરી સુધી સુરક્ષિત રાખ્યો હતો. આવી સ્થિતિમાં શીજાનને જામીન મળે છે કે નહીં તે આજે જાણવા મળશે.


શીજાનને મળશે જામીન?


શીજાન ખાન પર તુનીષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.  જેના કારણે તેની 24 ડિસેમ્બર 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં છે. શીજાન જામીન મેળવવા માટે તેના વકીલ સતત પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે તુનીશાના વકીલે શીજાન અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા તેનો પક્ષ રાખ્યો હતો. તુનિષાના વકીલે કહ્યું કે તુનિષા ડિપ્રેશનમાં હતી તે વાત ખોટી છે. કારણ કે જો તે ડિપ્રેશનમાં હોત તો તે 12 કલાક કેવી રીતે કામ કરી શકતી હોત.


શું તુનીશા શર્માનું નામ અલી સાથે જોડાયું હતું?


તે જ સમયે શીજાન ખાનના વકીલે કહ્યું કે બ્રેકઅપ પછી તુનિષા શર્મા અલી નામના વ્યક્તિ સાથે વાત કરતી હતી, જેની સાથે તે ડેટિંગ એપ પર મળી હતી. મૃત્યુ પહેલા જ તેણે અલી સાથે વાત કરી હતી. જોકે, તુનિષાની માતાએ કહ્યું હતું કે અલી માત્ર તુનિષાનો મિત્ર હતો. હવે જોવાનું એ રહેશે કે શીજાન ખાનને આજે જામીન મળે છે કે નહીં.


તુનિશા શર્માએ અલી બાબાના સેટ પર કરી લીધી હતી આત્મહત્યા 


જણાવી દઈએ કે 24 ડિસેમ્બર 2022ના રોજ તુનિષા શર્માએ તેના ટીવી શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની માતાએ આરોપ લગાવ્યો છે કે તુનીષા શીજાન સાથે બ્રેકઅપ બાદ પરેશાન હતી. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારથી તુનીશા શીજાન અને તેના પરિવારને મળી ત્યારથી તેની પુત્રી સાથેના સંબંધો નબળા પડી ગયા હતા. તે જ સમયે શીજાનના પરિવારનો આરોપ છે કે તેની માતાએ તુનીશા પર ધ્યાન આપ્યું ન હતું. અને તે તુનિષાને પૈસા પણ આપતી ના હતી