મુંબઈ: ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈની એક્ટ્રેસ દિવ્યા ભટનાગર ક્રિટિકલ કંડીશનમાં છે. દિવ્યાને કોરોનો થયો છે અને જણાવવામાં આવી રહ્યું છે કે તેની હાલ ખૂબ જ નાજૂક છે જેના કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.




દિવ્યાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં દિવ્યા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જોવા મળતી હતી. તસવીર જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે અભિનેત્રીની તબિયત સારી નથી. આ તસવીર સાથે દિવ્યાએ કેપ્શન પણ લખ્યું છે, જેમાં તેણે ફેન્સને સલામતી માટે દુઆ કરવાની અપીલ કરી છે.

દિવ્યાની સારવાર હાલ મુંબઈમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવ્યાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતા જ તેની માતા અને ભાઈ દિલ્હીથી મુંબઈ આવી ચૂક્યા છે. દિવ્યાને 26 નવેમ્બરે ખબર પડી હતી કે તે કોરોનાથી સંક્રમિત છે. તે સમયે તે ટીવી સીરિયલ તેરા યાર હૂં મેની શૂટિંગમાં વ્યસ્ત હતી.



તમને જણાવી દઈએ કે દિવ્યા છેલ્લા કેટલાક સમયથી તણાવમાં રહેતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2019માં લગ્ન કર્યા બાદ દિવ્યાને તેના પતિ સાથે મનમોટાવ હોવાના કારણે તે એકલી રહેતી હતી.