મુંબઇઃ બોલીવુડના મહાવાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર  કોરોનાનો ભોગ બન્યો છે. અમિતાભ અને અભિષેકને શનિવારે રાત્રે કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમને ઇલાજ માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી રવિવારે બપે બીજા ટેસ્ટ રિપોર્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વરસની પુત્રી આરાધ્યાને પણ કોરોનાનાં હળવા લક્ષણ જોવા મળતાં તેમને પણ ઘરમાં ક્વોરેન્ટાઈન કરી દેવાયાં છે.


બચ્ચન પરિવારને કોરોનાનો ચેપ અમિતાભ બચ્ચનના કારણે લાગ્યો હોવાનું સૌ માને છે પણ વાસ્તવમાં અમિતાભના કારણે નહીં પણ અભિષેકના કારણે પરિવાર કોરોનાનો ભોગ બન્યો છે. અમિતાભ, ઐશ્વર્યા અને આરાધ્યા ઘર બહાર પણ નિકળતા નહોતાં પણ  અભિષેક બચ્ચન પોતાની વેબ સીરીઝ માટે શૂટિંગ પર જતો હતો.  આ ઉપરાંત પોતાની બહેન શ્વેતા નંદાનો પુત્ર અગસ્ત્ય નંદા અને નીતુ કપૂરના જન્મદિવસની ઊજવણીમાં પણ ગયો હતો. આ કારણે તે કોરોનાનો ભોગ બન્યો હોવાનું મનાય છે.

અભિષેક બચ્ચને વેબ સીરિઝ માટે  જે સ્ટુડિયોમાં ડબિગ કર્યું હતું તેને પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. કોમલ નાહટાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સાઉન્ડ અને વિઝન ડબિંગ સ્ટુડિયોમાં અભિષેક બચ્ચને વેબ સીરીઝ બ્રીધ માટે ડબિંગ કર્યું હોવાથી તેને પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે.