તનુશ્રીના નાના પાટેકર પરના આરોપોને લઇને બૉલીવુડમાં બે ભાગ, આ સેલેબ્સ ઉતર્યા સપોર્ટમાં
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાના નાના પાટેકર પરના આરોપોને લઇનને વિવાદ વધ્યો છે. આ વિવાદમાં હવે બૉલીવુડ બે ભાગમાં વહેંચાઇ ગયુ છે, વિવાદ પર બિગ-બી અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સ સુરક્ષિત સ્ટેટમેન્ટ આપીને હાથ ઉંચા કરી લીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરહાનાએ ટ્વીટ કરી લખ્યું- ''ઘટના સમયે જેનિસ ત્યાં હાજર હતી જેના પર આજે ચર્ચા થઇ રહી છે. અહીં સુધી કે જ્યારે તનુશ્રીની પાસે 10 વર્ષ પહેલા કેરિયરની સલામતીને જોતા ચૂપ રહેવાનું હતું, તે ના રહી, તેની સ્ટૉરી આજે પણ નથી બદલાઇ તેની પ્રસંશા કરવી જોઇએ.
એક્ટર ફરહાન અખ્તરે પણ તનુશ્રી-નાના વિવાદ પર ટ્વીટ કર્યુ, તેને રિપોર્ટર જેનિસ સીકેરિયાના ટ્વીટને રીટ્વીટ કર્યુ, જેમાં તેને જણાવ્યું કે તનુશ્રી જે કહી રહી છે તેમાં સચ્ચાઇ છે. પત્રકારનો દાવો છે કે 10 વર્ષ પહેલાની ઘટના દરમિયાન તે પણ ત્યાં હાજર હતી.
હેમશા દરેક વાત પર પોતાનો મત આપતી ફેમસ એક્ટ્રેસ સ્વરાજ ભાસ્કરે પણ તનુશ્રીને સપોર્ટ કર્યો છે, તેને તનુશ્રીને એક વીડિયો શેર કરતાં લખ્યુ- ''#IBelieveYouTanushreeDutta.''
તનુશ્રીના સમર્થનમાં રિચાએ ટ્વીટ કરીને લખ્યું- ''તનુશ્રી દત્તા હોવું દુઃખદ છે, એકલા અને સવાલિયો હોવું. કોઇપણ મહિલા આવી પબ્લિસીટી નથી ઇચ્છતી કે તેના માટે ટ્રૉલિંગ થવું પડે. જે તેની સાથે સેટ પર થયુ તે ડરાવનું હતું, તનુશ્રી હોવા માટે ખુબ હિમ્મત જોઇએ.''
પણ કેટલાક બી-ટાઉનના સેલેબ્સે તનુશ્રીનો ખુલ્લો સપોર્ટ કર્યો છે. આમાં સ્વરા ભાસ્કર, રિચા ચઢ્ઢા અને ફરહાન અખ્તર સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -