જાણીતી એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર ટૂંકમાં જ બોલિવૂડમાં કમબેક કરવાની છે. ઉર્મિલા માતોંડકર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. વર્ષ 2019માં તેણે રાજનીતિમાં પણ એન્ટ્રી લીધી હતી, ત્યાર બાદ ફરીથી ફિલ્મો ન આવવાની અટકળો લાગી હતી. તેણે આ વિશે જાણકારી આપતા કહ્યું છે કે, તેની આગામી ફિલ્મ લોકોના વિશ્વાસ પર ખરી ઉતરશે. 


ઉર્મિલા માતોંડકરએ જણાવ્યું કે, ટૂંકમાં જ નવી ફિલ્મ લઈને આવી રહી છે. તેની સાથે જ તે મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. એક ઇન્ટરવ્યૂ દમરિયાન તેમણે કહ્યું કે, વેબ સીરીઝનો પણ હિસ્સો બનવાની હતી, જેનું શૂટિંગ કોરોના મહામારીને કારણે ટળ્યું હતું. તેણે કહ્યું કે, તે સીરીઝ એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે એવું શક્ય ન બન્યું. તેણે કહ્યું કે, લોકડાઉનને જોતા શૂટિંગ આગળ ટાળવામાં આવ્યું હતું. 


બોલિવૂડમાં મારી સફળ શાનદા રહીઃ ઉર્મિલા


ઇન્ટરવ્યૂ દરમિયાન ઉર્મિલા માતોંડકરે કહ્યું, “મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે હું બોલિવૂડમાં ફરી એન્ટ્રી કરું. જ્યારે હું મારી કારકિર્દી વિશે વિચારું છું તો લાગે છે કે, હું લોકોના દીલમાં મારું સ્થાન બનાવવામાં સફળ રહી છે. મારી અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે અને હું આ રીતે મારી ફિલ્મી કારકિર્દીનો અંદ લાવવા નથી માગતી.”ઉર્મિલાએ આગળ કહ્યું, “બોલિવૂડમાં મારી સફર શાનદાર રહી છે. મારી અનેક ફિલ્મો હિટ થઈ છે. મને નથી ખબર કે મારો આગામી પ્રોજેક્ટ કેટલો અસરદાર સાબિત થશે પરંતુ હું તેના વિશે હાલમાં નથી વિચારતી.”


ફિલ્મ રંગીલાથી મળી ઓળખ


જણાવીએ કે, ઉર્મિલા માતોંડકરે 90ના દાયકામાં લગભગ દરેક મોટા નિર્માતા-ડાયરેક્ટર અને એક્ટર સાથે કામ કર્યું. પરંતુ તેની કારકિર્દી માટે ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા’ નવો વળાંક લઈને આવી. આજે પણ ઉર્મિલાને એ ફિલ્મમાં અભિનય માટે યાદ કરવામાં આવે છે. ઉર્મિલાએ વર્ષ 1980માં શ્રીરામ લાગુની મરાઠી ફિલ્મ ‘જાકોલ’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે ઉર્મિલાની ઉંમત 6 વર્ષની હતી.