Dilip kumar Madhubala love story: દિલીપ કુમાર અને મધુબાલાનો ડિવાઇન લવ હતો પરંતુ મધુબાલાનો પરિવાર તેને સમજી ન હતો શક્યો. આ કારણે આખરે બંનેએ જુદા થવાનું કર્યો નિર્ણય 


દિલીપ કુમાર-મધુબાલાની લવ સ્ટોરી: ફિલ્મમાં તો દિલીપ કુમારની સાથે ટ્રેજેડી  થતી રહેતી હતી પરંતુ રીલ લાઇફની જેમ રિયલ લાાઇફ પણ તેની સાથે  ટ્રેજેડી થઇ હતી. મુધબાલા અને દિલીપ કુમારની મહોબતની શરૂઆત તો એક ગુલાબના ફુલથી થઇ હતી પરંતુ આ મહોબતની રાહમાં અનેક કાંટા જ કાંટા હતા. વર્ષ 1951માં દિલીપ કુમાર અને મધુબાલા ફિલ્મ તરાનામાં એક સાથે કામ કર્યું હતું. 


તે સમયે દિલીપ કુમારને એ ખબર ન હતી કે, મધુબાલા મનોમન તેમને પ્રેમ કરે છે. ફિલ્મ તરાનાની શૂટિંગ મધુબાલાએ તેમના નજીકની મેકઅપ આર્ટિસ્ટની સાથે દિલીપ કુમારને એમધુબાલાની મહોબ્બતની આ નિશાનીને દિલીપ કુમારે ખુશી-ખુશી કબૂલ કરી હતી.  ફિલ્મ મુગલ એ આઝમના શૂટિંગ વખતે બંનેનો પ્રેમ પરવાન ચઢ્યો હતો. 


ફિલ્મ પત્રકાર બની રિઉબેન દ્વારા લિખિત પુસ્તક " Dilip Kumar- Star Legend of Indian Cinema"મુજબ મુગલ એ આઝમમાં મધુબાલાની એન્ટ્રીને લઇને ઘણું બધુ લખાયું છે પરંતુ હકીકત તો માત્ર એ જ છે કે, મધુબાલા અનારકલી બની કારણ કે, શહજાદા સલીમ ઇચ્છતા હતા કે, તે અનારકલી બને. 


 મહોબ્બત પરવાર ચઢી રહી હતી. દિલીપ કુમારે તેમની મોટી બહેન સકીના સાથે લગ્નનો પ્રસ્તાવ મધુબાલાના ઘરે મોકલ્યો., તેમણે કહ્યું કે મધુબાલાના પિતા તૈયાર હોય તો તે સાત દિવસ બાદ મધુબાલા સાથે લગ્ન કરવા તૈયાર છે. જો કે મધુબાલાના પિતા અતાઉલ્લા ખાને આ સંબંધથી ઇન્કાર કરી દીધો.  પિતા અને દિલીપ સાહેબ બંનેને મધુબાલા સૌથી વધુ પ્રેમ કરતી હતી. જો કે બંનેમાંથી એકની પસંદગી તેમના માટે અશક્ય હતી. આ કશમકશમાં દિવસો વિતતા ગયા અને સંબંધ પર પણ તણાવ વધતો ગયો. ત્યારબાદ 1956માં એવું તોફાન આવ્યું કે, જેમાંથી આ સંબંધ ક્યારેય બહાર ન આવી શક્યો. 


તો શું તું મારી સાથે લગ્ન કરવા નથી ઇચ્છતી?
ફિલ્મ ઢાકેની મલમલની  શૂટિંગ દરમિયાન દિલીપ કુમારે અભિનેતા ઓમપ્રકાશની સામે  કી સામે મધુબાલાને કહ્યું હતું કે તે તેને પોતાની સાથે લઇને આજે તેની સાથે લગ્ન કરવા માંગે છે. દિલીપ સાહેબે એમ પણ કહ્યું હતું કે, એક કાઝી તેમના ઘરે હાજર છે અને લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને તે ઇચ્છે છે કે મુધબલા તરત જ તેની સાથે જાય, પરંતુ તે જ સમયે દિલીપ સાહેબે તેમની મહોબ્બચ  પ્રેમ મધુબાલાની સામે એક શરત મૂકી હતી. શરત એ હતી કે તેની સાથે લગ્ન કર્યા પછી, મધુબાલાએ તેના પિતા સાથેના બધા સંબંધો તોડવા પડશે. આ સ્થિતિ સાંભળીને મધુબાલા ચૂપ થઈ ગયા. તેના હોઠમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. તેમનું મૌન જોઇને દિલીપકુમારે કહ્યું, "શું આનો અર્થ એ છે કે તમે મારી સાથે લગ્ન કરવા નથી માંગતા?" મધુબાલાનું મૌન તૂટ્યું નહીં. મધુબાલાના મૌનને કારણે દિલીપકુમારનો ગુસ્સો વધી રહ્યો હતો. તેણે ફરીથી કહ્યું, "આજે જો હું  અહીંથી એકલા જઇશ તો હું ફરી ક્યારેય તમારી પાસે પાછો નહીં આવું " મધુબાલા મૌન રહી અને દિલીપકુમાર તેની આંખો સામે ઉભો થઇને જતાં રહ્યાં . માત્ર તે  રૂમમાંથી જ નહી પરંતુ  મધુબાલાના જીવનથી પણ કાયમ માટે  ચાલ્યા ગયાં.