ધો.12 સામાન્ય પ્રવાહનું 56.82 ટકા પરિણામ, વિદ્યાર્થીનીઓએ બાજી મારી
જેમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે 315616 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરી વિસ્તારમાંથી 39248 વિદ્યાર્થીઓે આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી 25283 વિદ્યાર્થીઓએ પરીક્ષા આાપી હતી. પરિણામની વધુ વિગતો વાંચવા માટે આગળ ક્લિક કરો....
વિદ્યાર્થીઓને માર્કશીટ આગામી તા.5મી જૂનને સોમવારે મળશે. આ પરીક્ષામાં 514965 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ગત 15 મી માર્ચેથી શરૂ થઇ હતી જે 30મી માર્ચ સુધી ચાલી હતી. સમગ્ર રાજયમાંથી સામાન્ય પ્રવાહમાંથી 514965 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
માધ્યમવાર વિગતો જોઈએ તો, ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ ઉંચું આવ્યું છે. અંગ્રીજ માધ્યમનું પરિણામ 74.20 ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 55.42 ટકા આવ્યું છે.
આ વખતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કુલ પાસ થનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા 70.88 ટકા છે. જ્યારે પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 47.28 ટકા છે. A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થોની સંખ્યા માત્ર 257 છે. જ્યારે સૌથી વધારે વિદ્યાર્થીઓને બી2 ગ્રેડ મળ્યો છે જેમાં કુલ 63808 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
માર્ચ-2017માં લેવાયેલ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સૌધી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહ્યો છે જેનું કુલ 73.85 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર રહ્યો છે જેનું 30.81 ટકા પરિણામ આવ્યું છે.
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 56.82 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે સૌધી વધુ પરિણામ એલીસબ્રીજ (અમદાવાદ)નું 100 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછી પરિણામ ભીખાપુરનું 10.07 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પરિણામ જોઇ શકે છે.