કોંગ્રેસે વિધાનસભાની ટિકિટ માટે કયા ચાર ધારાધોરણ નક્કી કર્યા? જાણો કોને નહીં મળે ટિકિટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Sep 2017 12:38 PM (IST)
1
જે ઉમેદવાર બે વખત વિધાનસભાની ચૂંટણી હારી ચુક્યા છે તેમને ટિકિટ નહીં મળે
2
જે ઉમેદવાર 70 વર્ષથી વધુ ઉંમરના હશે તેમને ટિકિટ નહીં અપાય
3
જેઓ હાલ કોંગ્રેસના ધારાસભ્યો છે તેઓ જો ફરી ટિકિટ માગશે તો તેમને ટિકિટ અપાશે
4
જે ઉમેદવાર 20 હજારથી વધુ મતથી ચૂંટણી હારી ચુક્યા છે તેને પણ ટિકિટ નહીં મળે
5
ગાંધીનગર: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગઈ કાલે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવાર નક્કી કરવા માટે ચાર ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. આ ધારાધોરણને આધારે જ ઉમેદવાર નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં અશોક ગહેલોત, ભરતસિંહ સોલંકી સહિતના ટોચના કોંગી નેતાઓ હાજર રહ્યાં હતાં.
6
આયાતી ઉમેદવાર એટલે કે પક્ષ પલટો કરી આવેલા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય