✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પૂર્વ IPS ડી. જી. વણઝારાએ રાજકારણમાં જોડાવા અંગે શું કર્યો ખુલાસો, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2017 03:29 PM (IST)
1

વણઝારાએ નવો પક્ષ બનાવશે કે કોઈ પક્ષમાં જોડાશે તે સવાલનો જવાબ આપતાં કહ્યું, તેઓ કોઈ પક્ષમાં નહીં જોડાય અને નવો પક્ષ પણ નહીં બનાવે, કારણ કે પ્રજાપક્ષ એ જ મારો પક્ષ છે. પરંતુ રાજનીતિમાં પ્રવેશ કરી દેશ અને રાજ્યનું કલ્યાણ કરવા માટે પોતે બિલકુલ ફિટ અને અડીખમ છે. દેશનું કલ્યાણ કરવું હોય તો હિંદુ સમાજમાં પ્રવર્તી રહેલા જાતિઓના વાડાને દૂર કરવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યુ હતું.

2

વણઝારાએ રાજ્યના અનેક વિસ્તારમાં સામાજિક સંમેલનો યોજ્યા છે ત્યારે લોકો તેમને તેઓ રાજકારણમાં આવશે કે કેમ તેવું પૂછતાં રહે છે. આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું લોકનીતિના માર્ગમાં રાષ્ટ્રનીતિ અને રાજનીતિ આવે છે, જેથી તેઓ રાજનતિમાં ચોક્કસ પ્રવેશ કરશે, પરંતુ રાજકારણથી દૂર રહેશે.

3

સામાજિક એકાત્મતા મંચના ઉપક્રમે ગાંધીનગર ખાતે આવેલા મેડિકલ કોલેજના હોલમાં સ્નેહમિલન સમારંભમાં વણઝારાએ જણાવ્યુ હતું કે, એક વર્ષમાં રાજ્યના અલગ-અલગ સ્થળોએ આ મંચના ૫૭ જેટલા કાર્યક્રમો થઈ ચૂક્યા છે. આગામી સમયમાં મંચ દ્વારા વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં લાખો લોકો ઉપસ્થિત રહે તેવું આયોજન કરવામાં આવશે.

4

અમદાવાદ: એન્કાઉટરક કેસમાં આઠ વર્ષનો જેલવાસ ભોગવી ચૂકેલા પૂર્વ IPS ડી.જી. વણઝારાની આગેવાનીમાં ગાંધીનગરમાં સામાજિક એકાત્મતા મંચના સ્નેહ મિલન સમારંભનું આયોજન થયુ હતું. આ સમારંભમાં વણઝારાએ લોકનીતિને જ પોતાનું ધ્યેય ગણાવી હતી અને સમાજને મદદરૂપ થવા માટે રાજનીતિ જરૂરી હોવાથી પોતે રાજકારણમાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી.

  • હોમ
  • ગાંધીનગર
  • પૂર્વ IPS ડી. જી. વણઝારાએ રાજકારણમાં જોડાવા અંગે શું કર્યો ખુલાસો, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.