મોદીએ હીરાબાને મળવા પોતાનો વરસો જૂનો ક્યો નિયમ તોડ્યો ? માતા સાથે બેસીને શું નાસ્તો પણ કર્યો?

વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા ગાંધીનગરમાં રાયસણ ખાતેના વૃંદાવન બંગલોઝમાં રહે છે. હીરાબા 95 વર્ષનાં છે અને પોતાના સૌથી નાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે. મોદી પોતાના જન્મદિને માતાને મળવા જાય છે અને એ સિવાય પણ ઘણા પ્રસંગે પોતાની માતાને મળવા જતા હોય છે.
મોદીએ વરસોથી આ નિયમ બનાવ્યો છે પણ મંગળવારે સવારે તેમણે આ નિયમ તોડી નાંખ્યો. તેમણે આ નિયમ પોતાની માતા માટે તોડયો અને સવારે યોગ કરવાના બદલે પોતાનાં માતા હીરાબાને મળવા માટે રાયસણ ખાતે ઉપડી ગયા હતા.
ફાઈલ તસવીર
વડાપ્રધાન બન્યા બાદ પણ તેમણે રાયસણના ઘરે જઈને માતાના આશીર્વાદ લેવાની પરંપરા જાળવી છે. આ સિવાય પણ જ્યારે પણ તે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ત્યારે પોતાનાં માતાને મળવા ભાઇના ઘરે ગયા હતા. હાલ મોદી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવ્યા છે.
પોતાના ટવીટ્ર હેન્ડલ પર ટવીટ્ કરીને મોદીએ આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે આજે મેં યોગ નથી કર્યા અને વહેલી સવારે મારી માતાને મળવા ગયો. સવાર પડે તે પહેલાં માતા સાથે નાસ્તો કર્યો અને તેમની સાથે સમય પસાર કરી મને ખૂબ સારૂ લાગ્યુ.
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિયમોમાં પાકા છે અને ગમે તેવા સંજોગોમાં પોતાના નિયમો તોડતા નથી. મોદી રોજ સવારે યોગ કરે છે અને આ એવો નિયમ છે જે તેઓ કદી તોડતા નથી. મોદી ગમે ત્યાં ગયા હોય પણ વહેલી સવારે યોગ અચૂક કરે છે.