હળવદમાં ક્ષત્રિય-ભરવાડોની અથડામણમાં બેનાં મોત, સુરેન્દ્રનગર-મોરબીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ

હળવદ જીઆઇડી પાસે થયેલી જૂથ અથડામણમાં અન્ય બે સગા ભાઇને ગંભીર ઇજા થતાં મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ 35થી વધુ વાહનોને આગ લગાડવામાં આવતા પરિસ્થિતિ તંગ બની ગઇ છે. હત્યાના પડઘા ધ્રાંગધ્રા, થાન અને સુરેન્દ્રનગર શહેરમાં પણ પડયા હતા.
ઇન્ટરનેટ સેવા બંધ કરવા માટે એવું કારણ અપાયું છે કે, સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આપ-લે ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેટ સેવા શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી બંધ કરી દેવમાં આવી છે. સાંજે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ઇન્ટરનેટ સેવા ચાલુ કરવા માટેનો નિર્ણય લેવાશે.
મિનિટોના સમયમાં સમગ્ર શહેર બંધ થઇ ગયુ હતુ. અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. જૂથ અથડામણ બાદ હત્યાની ઘટનાના પગલે હળવદ અને ધ્રાંગધ્રા વચ્ચેના ચુલી અને સોલડી પાસે ટોળઅો રસ્તા પર આવી ગયા હતા. એક તબક્કે આ હાઇ વે પરનો વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો.
ગત શુક્રવારે ધ્રાંગધ્રામાં થયેલા હુમલામાં ક્ષત્રિય આગેવાન ઇન્દ્રસિંહ ઝાલાની હત્યાના પગલે માહોલ તંગ છે. ગુરુવારે યોજાયેલા ઈન્દ્રસિંહના બેસણામાંથી પરત ફરતી વેળાએ ક્ષત્રિય અને ભરવાડ સમાજનાં જૂથો સામસામે આવી ગયાં હતાં. અને આ દરમિયાન થયેલા ફાયરિંગ અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને એકની હત્યા કરાઇ હતી.
સુરેન્દ્રનગર: હળવદમાં ગુરૂવારે સાંજે થયેલી ક્ષત્રિય અને ભરવાડ જૂથ વચ્ચેની અથડામણમાં બે લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘવાયા છે. આ ઉપરાંત 35થી વધુ વાહનોને આગ લગાડીને રાખ કરી દેવાયાં હતાં. જિલ્લા પોલીસ વડાએ તકેદારીના ભાગ રૂપે સુરેન્દ્રનગર અને મોરબીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.