અલ્પેશ-હાર્દિકના કારણે હારી કોંગ્રેસઃ ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓનો રોષ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ટિકીટની વહેંચણી અને સોશ્યલ મીડિયા સામે પણ પ્રશ્નો ઉભા થયા હતા. કાર્યકર્તાઓએ પાર્ટીમાં સ્ટાર પ્રચારકો પણ ઓછા હોવાની ફરિયાદ કરી હતી.
હાર્દિદ પટેલ સામે પણ રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ કહ્યું કે, હાર્દિકની ટીમે જે નામોની ભલામણ કરી હતી તેમાંથી માંડ એક જીત્યા છે, બાકી બધા ઉમેદવારો હાર્યા છે.
કાર્યકરોએ હારનું ઠીકરું અલ્પેશ પર ફોડતા કહ્યું કે, મૂળ કોંગ્રેસી ઉમેદવારને રાધનપુરથી લડાવવાના હતા, તેની જગ્યાએ ચાણસ્મા મોકલી દેવાયા તેના કારણે ચાણસ્મામાં કોંગ્રેસની હાર થઇ હતી.
અમદાવાદઃ કોંગ્રેસે ગુજરાતમાં મળેલી હાર માટે હાર્દિક અને અલ્પેશને જવાબદાર ગણાવ્યા છે. હારનું પોસ્ટમોર્ટમ કરવા મહેસાણામાં મળેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓએ રોષ ઠાલવવા સાથે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં મળેલી હારના જવાબદાર હાર્દિક અને અલ્પેશ છે. તેઓનું કહેવું છે કે, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની ભલામણવાળી બેઠકો અને તેના કારણે મુળ કોંગ્રેસી ઉમેદવારોને અન્ય જગ્યાએ લડાવવાના કારણે રાજ્યમાં કોંગ્રેસ હાર થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -