અંબાજીઃ ટવેરા કાર પર ચુનો ભરેલી ટ્રક ખાબકતાં 4ના મોત, સર્જાયા હૃદય કંપાવી દે તેવા દ્રશ્યો
અંબાજી: યાત્રાધામ અંબાજી નજીક આજે સવારનાં સુમારે ટવેરા કાર ઉપર ચુનો ભરેલી ટરબો ટ્રક પલટી જતાં ગમખવાર અકસ્માત સર્જાયો છે.
અકસ્માત માં ઘાયલ થયેલાં ચાર યાત્રીકો નાં નામઃ- (1) સાગર જે પટેલ. (2) હિતેશભાઇ લાલજી ભાઇ પટેલ. (3) આકાશ મહેશભાઇ પટેલ. (4) અમીત લાલજી પટેલ
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે સવારે અંબાજી નજીક અમદાવાદ હાઈવે નજીક એક ચૂનો ભરીને ટ્રક જઈ રહી હતી. ત્યારે ટ્રક ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલી ટાવેરા ગાડી ઉપર પલ્ટી મારી હતી.
અંબાજી આવી રહેલી ટવેરાં કાર અને અમદાવાદ તરફ જઇ રહેલી ટરબો ટ્રક ઉમરાફળીયાને ચિખલા ગામની સીમના વળાંકમાં પલટી જતાં ટવેરામાં બેઠેલાં આઠ મુસાફરો પૈકી 4 યાત્રીકોનાં ઘટના સ્થળેજ મોંત નિપજ્યાં છે. ત્યારે અન્ય 4 વ્યક્તીઓ ને ગંભીર ઇજાઓ થતાં અંબાજી ની કોટેજ હોસ્પીટલ માં લઇ જવાયાં હતા. આ અકસ્માત માં મરનજનાર અને ઘાયલ યાત્રીકો આણંદનાં અંબાવગામ નાં હોવાનું જાણવાં મળેલ છે. આ બાબત ની જાણ પોલીસ ને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના પગલે ટાવેરા ગાડીનો કુચ્ચો બોલાઈ ગયો હતો. અને કારમાં સવાર 3 લોકોના મોત થયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ભોગ બનનાર ત્રણેય લોકોની ઓળખ આણંદ તાલુકાના પટેલ પરિવારના હોવાનું જણાવ્યું છે.