✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શિવ સેનાના પ્રમુખની પત્ની અને વકીલની 'નિકટતા'એ યુવાન પુત્રનો લીધો ભોગ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Oct 2016 11:46 AM (IST)
1

આ કેસમાં અત્યાર સુધીમાં વિવેકની સાવકી માતા રોહિણી અને તેને મદદ કરનાર ઘરના વોચમેનની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન રોહિણીએ કબૂલાત કરી હતી કે, તેણે વિવેકને ઝેરી પાવડર દવા તરીકે આપ્યો હતો અને આ પાવડર તેઓની નજીકના એડવોકેટ અનંત પોખરિયાલે આપ્યો હતો. બંને વચ્ચે અવારનવાર ફોન પર વાત પણ થઇ હતી. જે અંગેની કોલ ડીટેલના આધારે પોલીસે વકીલની ધરપકડ કરી છે. આ ઘટનામાં આરોપી વકીલના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ પોલીસ કરી રહી છે.

2

પીએમ રિપોર્ટમાં વિવેકનુ ગળુ દબાવીને કે શ્વાસ રૂંધાવીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રથમ દર્શીય કારણ પી.એમ કરનાર તબીબો આપ્યું હતું. મૃતક વિવેકની સગી માતા લતાબેન પાટીલે પોલીસ મથકમાં સતીશ પાટીલની બીજી પત્ની રોહિણી વિરુદ્ધ શંકા વ્યક્ત કરીને હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

3

તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. શિવ સેનાના ઉપ પ્રમુખ સતીશ પાટીલ સાથે બદલો લેવાની વૃત્તિથી વકીલ પોખરિયાલે પાટીલની બીજી પત્નીને ઉશેકરી હતી. તેમજ ઝેરી દવા પણ લાવી આપી હતી. જેથી વિવેક બેહોશ થઇ જાય અને ત્યારબાદ સતીષ પાટીલને સબક શિખવાડી બદલો લઇ શકે છે. નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય શિવસેનાના પ્રદેશ ઉપ પ્રમુખ અને અંકલેશ્વર જીઆઇડીસીની મધુવન સોસાયટીમાં રહેતા સતિષ પાટીલના 18 વર્ષીય દીકરો વિવેક ઉર્ફે બાદલ પાટીલની તારીખ 25મી સપ્ટેમ્બર 2016ના રોજ હત્યા કરવામાં આવી હતી.

4

અંકલેશ્વરઃઅંકલેશ્વરના શિવસેનાના અગ્રણી અને ઉદ્યોગપતિ સતિષ પાટીલના યુવાન દીકરાની તેની સાવકી માતાએ હત્યા કરી નાંખી એ ઘટનામાં તેના વકીલ અનંત પોખરિયાલની ધરપકડ કરાઇ છે. પોલીસ તપાસમાં પોખરિયાલ અને પાટીલની બીજી પત્ની રોહિણી વચ્ચેની 'નિકટતા'ની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વિવેકની હત્યા માટે ઉંઘની ગોળીઓ, ડ્રગ્સ અને પટ્ટા પોખરિયાલે લાવી આપ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. જોકે, પોખરિયાલની ભૂમિકા તેના કરતાં પણ આગળની હોવાનું મનાય છે.

5

પોખરિયાલ અને રોહિણીની વાતચીતની કોલ ડિટેઇલ પોલીસે મેળવી છે, જેમાં બંને સતત ફોન પર વાત કરતાં હતા, તેવું બહાર આવ્યું છે. આ ઉપરાંત બંને વચ્ચે ખાનગીમાં મુલાકાતો થતી હતી, તેવી વિગતો પણ બહાર આવી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને તેમાં મોટો ધડાકો થવાની શક્યતા છે.

6

વકીલ અનંત પોખરિયાલ અગાઉ પાટીલના વિવિધ કેસો લડતા હતા. જોકે, તેમની વચ્ચે ખટરાગ ઉભો થયો હતો. જેનો બદલો લેવા વકીલ પોખરિયાલ રોહિણીને અવાર-નવાર મળતો હતો. તેમજ ફોન પર કોન્ટેક્ટમાં હતો અને તેને જ બદલો અગાઉ પણ ઊંઘની ગોળીના 2 પટ્ટા લાવી આપ્યા હતા. એટલું જ નહીં હત્યાના દિવસે ઝેરી પાવડર પણ લાવીને આપ્યો હતો, જે થી વિવેક બેહોશ થઇ જાય અને પાટીલ શોધે અને તેને સબક શીખવાડી શકે.

  • હોમ
  • ગુજરાત
  • શિવ સેનાના પ્રમુખની પત્ની અને વકીલની 'નિકટતા'એ યુવાન પુત્રનો લીધો ભોગ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.