✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાનુભાઇ આત્મવિલોપન મામલો, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, બપોરે ઊંઝામાં કરાશે અંતિમસંસ્કાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Feb 2018 10:31 AM (IST)
1

ભાનુભાઈ વણકરના આત્મવિલોપનની ઘટનાના 54 કલાક બાદ પરિવાર અને સરકાર વચ્ચે સમાધાન થયું હતું. આ સમાધાનની ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકીએ જાહેરાત કરી હતી. ત્યારબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. બપોરે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે.

2

ગઈકાલે મોડી રાત્રે ઘટનાના 54 કલાકબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. સવારે ભાનુભાઈના પાર્થિવદેહના દર્શન કરવા માટે ઊંઝામાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉમટી પડ્યા હતા. જય ભીમના નાદ સાથે ભાનુભાઈની શહીદીને વધાવવામાં આવી હતી.

3

દલિત કાર્યકરે કરેલા આત્મદાહનો આજે શરૂ થઈ રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં ગુંજશે તેવી રાજકિય પંડિતો ચર્ચા કરી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ આ મામલે પોતાના પત્તાં ખુલ્લા મુકી દીધા છે. કોંગ્રેસ સત્તાપક્ષને નર્મદાના નીર, પાટણમાં ભાનુભાઈના આત્મદાહ અને ખેડૂતોના પ્રશ્ને આક્રમક જોવા મળશે.

4

દલિત સામાજીક કાર્યકર ભાનુભાઈ વણકરે 15મી ફેબ્રુઆરીએ પોતાના શરીરે પેટ્રોલ છાંટીને આત્મદાહ કર્યો હતો. સમીના દુદખાના દલિત પરિવારે સરકારમાં નાણાં જમા કરાવ્યા હોવા છતાં પીડિત પરિવારને જમીનની ફાળવણી કરવામાં આવતી ન હતી. જેને પગલે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી. અને 15મીએ બેનરમાં નામ લખીને આત્મવિલોપનનો કાર્યક્રમ ભાનુભાઈ સહિતના આપવા પહોંચ્યા હતા. પૂરતો બંદોબસ્ત અને તૈયારી હોવાછતાં ભાનુભાઈ ભડભડ સળગ્યા હતા અને 95 ટકા દાઝી જતાં તેમને ગાંધીનગરનો એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા હતા પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને તેમનું દેહાંત થયું હતું.

5

પાટણઃ જમીન વિવાદને લઇને પાટણ કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરનારા ભાનુભાઈ વણકરનું અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું, ત્યારબાદ પરિવારે તેને મૃતદેહને લેવાની ના પાડી દીધી હતી. પરંતુ હવે આ મામેલ સમાધાન થયું થઇ ગયું છે.

6

ભાનુભાઈનું નિધન થતાં તેમના મૃતદેહને એપોલો હોસ્પિટલથી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન પરિવાર અને સમાજના લોકોએ સરકાર લેખિતમાં બાંહેધરી ન આપે અને માંગ ન સ્વીકારે તો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના પગલે ઉત્તરગુજરાત અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. એક અંદાજ પ્રમાણે પોલીસે 1500 જેટલા પ્રદર્શનદારીઓની અટકાયત કરી હોવાનું માનવામાં આવે છે.

7

સારવાર માદ ભાનુભાઈનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકાર લેખિતમાં માંગણી ન સ્વીકારી ત્યાં સુધી મૃતદેહનો કબજો પરિવારે લીધો ન હતો.

  • હોમ
  • ગુજરાત
  • ભાનુભાઇ આત્મવિલોપન મામલો, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, બપોરે ઊંઝામાં કરાશે અંતિમસંસ્કાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.