બળવંતસિંહે હાઈકોર્ટમાં કરી પિટિશન, બે મત રદ કરવાના ચૂંટણી પંચના નિર્ણય સામે ઉઠાવ્યો વાંધો

વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લુરુ લઇ જવાની ઘટના એ ભ્રષ્ટ આચરણ ગણાવ્યું જે માટે પણ અહમદ પટેલને મળેલી જીત રદ્દ થવી જોઈએ અને તેમને 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાય કરવા જોઈએ. રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસીભરી જંગ બાદ અહમદ પટેલની જીત થઈ હતી. ચૂંટણીમાં બે ધારાસભ્યોના મત રદ્દ કરવાને લઈને વિવાદ થયો હતો. બળવંતસિંહે કરેલી ઈલેક્શન પિટિશન પર હાઇકોર્ટ સોમવારે સુનાવણી કરશે. ત્યારે સોમવારે આ મામલે થનારી દલીલો બાદ કોર્ટ શું વલણ દાખવે છે તે મહત્વનું બની રહેશે.
અમદાવાદ: રાજ્યસભાની ચૂટંણીમા રદ્દ થયેલા મતને લઈને ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે હાઈકોર્ટમાં પિટિશન કરી છે. આ અરજીમાં રાજ્યસભાની ચૂંટણીને લગતા મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અરજદારે રજૂઆત કરી છે કે, ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ લીધેલો નિર્ણય ખોટો છે. અને ખરેખર જે બે ધારાસભ્યોના મત રદ્દ થવા જોઈતા હતા તે કરાયા નથી.