✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં ભાજપનાં ટોચનાં પાટીદાર મહિલાને જ નિમંત્રણ નહીં, જાણો શું છે કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Dec 2018 02:54 PM (IST)
1

અમદાવાદઃ આજથી ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનની શરૂઆત અડાલજ ખાતે થઈ છે. જોકે આ મહિલા સંમેલનમાં ભાજપના નેતા રેશ્મા પટેલને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તાજેતરમાં પાટીદાર સમાજની માંગણીઓને અમલમાં મુકવાને લઈ ભાજપના નેતા રેશ્મા પટેલ પક્ષ સામે જ બળવો કરી રહ્યા છે. જેને પગલે ભાજપ હવે તેમની અવગણના કરી રહ્યો છે. જો કે રેશ્મા પટેલનું કહેવું છે કે, ટોચના નેતાઓની ત્રુટીઓના કારણે ભાજપમાં યોગ્ય ન્યાય મળતો નથી.

2

મહિલા સંમેલનમાં આમંત્રણ ન મળવા અંગે રેશ્માએ સ્પષ્ટતા કરી કે, એવું લાગે છે કે મારાથી ભાજપને કોઈ તકલીફ છે. મહિલા સશક્તિકરણની વાતો કરનારા ભાજપને ચૂંટણી સમયે જ કેમ મહિલાઓ યાદ આવે છે? મને આમંત્રણ નહીં મળવા અંગે હું કોઈ રજૂઆત કરીશ નહીં.

3

રેશ્માએ આગળ કહ્યું કે, આજે મારી જે પણ ઓળખ છે એ સમાજે મને આપેલી છે. ભાજપ થકી કંઈ જ નથી માટે ભાજપ મને બહારનો રસ્તો દેખાડે તો પણ મને કોઈ ફેર પડતો નથી. હું સમાજ અને પ્રજાના કાર્યો માટે આ જ રીતે લડતી રહીશ, કારણ કે હું પ્રજા માટે રાજનીતિમાં આવેલી છું.

  • હોમ
  • ગુજરાત
  • ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં ભાજપનાં ટોચનાં પાટીદાર મહિલાને જ નિમંત્રણ નહીં, જાણો શું છે કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.