✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાસના ભૂતપૂર્વ નેતા ચિરાગ પટેલે કમલમ પહોંચીને અમિત શાહ સામે કરી ચોંકાવનારી રજૂઆત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2017 02:16 PM (IST)
1

હાર્દિક પટેલ સાથે પાટીદાર આંદોલનમાં જોડાયા બાદ હાર્દિકની નીતિ-રીતિ સામે સવાલ ઉઠાવીને પાસથી છેડો ફાડનારા ચિરાગ પટેલે ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા ખાતે એક સ્મૃતિ પત્ર પાઠવીને અનેક મુદ્દા યાદ કરાવ્યા છે. તેમણે લખ્યું છે કે, ગુજરાતની છ કરોડની જનતાને ભાજપના ૨૨ વર્ષના શાસન બાદ ભાજપ દ્વારા જે વાયદા કરાયા હતા તેમાંથી મોટા ભાગનાનો અમલ થયો નથી.

2

ઉપરાંત ચિરાગ પટેલે ગૌચરની જમીનો કંપનીઓને મફતમાં દાન આપવી, પાટીદાર સમાજની આડમાં ગુજરાતમાં તોફાનો, હિન્દુત્વના નામે પ્રજા સાથે છેતરપિંડી, આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા, દેશની જનતા પર નોટબંધી બાદ જીએસટી દ્વારા અત્યાચાર બાબતે આપ ગૌરવ અનુભવો છો તે પ્રશ્નો કર્યા છે.

3

તેમણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી શક્યા નથી. હરિન પાઠક, ભાવનાબેન ચિખલિયા, વલ્લભ કથીરિયા, કેશુભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ રાણા, કાશીરામ રાણા, સુરેશ મહેતા તથા સંજય જોષીનું અસ્તિત્વ ખત્મ કરવા બાબતનો ઉલ્લેખ કર્યો છે.

4

અમદાવાદઃ પાટીદાર આંદોલનકારી અને રાજદ્રોહના કેસમાં જેલમાં જઇ આવેલા ચિરાગ પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ભાજપને કઇ બાબતનું ગૌરવ છે તેવા 18 મુદ્દાઓ સાથેનો એક સ્મૃતિ પત્ર લખીને ગુજરાતમાં ભાજપ સરકાર અનેક મુદ્દે નિષ્ફળ છે અને પક્ષ સામે પણ સવાલો ઉઠેલા છે તેનો જવાબ મળતો નથી ત્યારે ભાજપને એવું કયું ગૌરવ છે કે જેને લઇને ગુજરાતમાં ગૌરવ યાત્રા શરૂ કરાઇ છે તેવો સવાલ કર્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • પાસના ભૂતપૂર્વ નેતા ચિરાગ પટેલે કમલમ પહોંચીને અમિત શાહ સામે કરી ચોંકાવનારી રજૂઆત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.