ફિક્સ પગારદારોના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી કેવી ઝાટકણી

ફિક્સ પગારદારોના વકીલે રાજસ્થાન સરકારનો કેસ આ કેસ જેવો જ છે જેથી તેને સરકાનરા કેસ સાથે જોડવાની દલીલ કરી હતી જેને કોર્ટે માન્ય રાખી હતી.
સુનાવણી દરમિયાન ગુજરાત સરકારના વકીલે જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં સરકાર આ પોલિસીમાં ફેરફાર કરવા જઈ રહી છે જેમાં મોટા ભાગના કર્મચારીઓને રાહત થવાની છે.
સરકારી વકીલે એવી દલીલ કરી કે લોકો એમની સ્વેચ્છાએ આ નીતિને અપનાવે છો તો કોર્ટે ઝાટકણી કાઢતાં કહ્યું કે, સરકારી નોકરી માટે તો સરકાર સામેથી 5000 માગશે તો પણ લોકો આપશે. સરકાર બળજબરીથી ઉમેદવારો પાસે બાંહેધરી માગે છે તો સ્વેચ્છાએ કહી ન શકાય.
ફિક્સ પગારદારોને કેમ કાયમી નથી કરાતા તેવા પ્રશ્નના જવાબમાં સરકારે એવી દલીલ કરી હતી કે, જો તેમને કાયમી કરવામાં આવે તો સરકારી તિજોરી પર ૮ હજાર કરોડનો બોજો પડી શકે છે. સરકારની આ દલીલ સાંભળીને ચીફ જસ્ટિસે ઝાટકણી કાઢી કહ્યું હતું કે, સરકારે પોતાની નીતિ બદલવી પડશે, નહીં તો જો અમે ઓર્ડર કરીશું તો સરકાર આખી દેવાદાર બની જશે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સ પગારદારોએ સરકારની ફિક્સ પગાર સામેની નીતિ અંગે કરેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આગળ વાંચો સુપ્રીમ કોર્ટે આ સુનાવણી દરમિયાન શું કહ્યું...