કચ્છઃ ભચાઉમાં ટ્રેક્ટર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 10 લોકોના મોત
મળતી જાણકારી અનુસાર, આજે સવારે શિકરા ગામથી નાનજીભાઇ અનાવડિયા પરિવારજનો સાથે લગ્નનો માંડવો લઇને વિજપાસર ગામે ટ્રેક્ટરમાં જઇ રહ્યા હતા. ત્યારે કુંભારજી બાજુથી આવતી લક્ઝરી બસે ટ્રેક્ટરને ટ્રોલી સહિત ટક્કર મારી હતી.
અકસ્માતની જાણ થતાં ભચાઉથી વિવિધ સંગઠનોના કાર્યકર્તા દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે લેઉવા પાટીદાર સમાજમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં મહિલા અને, પુરુષ, બાળક સહિત 9 લોકોનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતુ. લોકોના મોત થતા ગ્રામજનોમાં શોક પ્રસરી ગયો હતો. વીજપાસર ગામે મામેરીયા અકસ્માતમાં આકસ્મિક મોત થતાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.
ભચાઉઃ કચ્છના ભચાઉ નજીક શિકરા ગામે એક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતાં દસ લોકોના મોત થયા હતા. જયારે શિકરાનો પટેલ પરિવાર મામેરા માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને વીજપાસર જઈ રહ્યો હતો ત્યારે કુંભારડી તરફથી આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી.