અમરેલીઃ યુવતીને ઉઠાવી જઈ બે વરસ સુધી ભોગવી, પછી લગ્નના બહાને 11 પુરૂષોએ બાંધ્યા શારીરિક સંબંધ, ચોકીદારોએ પણ બનાવી હવસનો શિકાર
સુરેશે પછી જસદણના સંદીપ લાલજીભાઈ પટેલ સાથે યુવતીનાં લગ્ન કરાવ્યાં હતાં. ચાર પાંચ દિવસ બાદ સુરેશ યુવતીને લઈ ગયો અને પછી દબાણ કરીને દોઢ લાખ રૂપિયા લઈને છૂટાછેડા કરાવ્યા હતા. યુવતીના બીજા લગ્ન જામનગર જિલ્લાના કલ્યાણપુરમાં રહેતા ધીરૂભાઈ સાથે કરાયા હતા અને પછી બે લાખમાં છૂટાછેડા કરાવ્યા હતા.
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે મહુવાના અમૃતવેલની એક મહિલા પણ સુરેશના આ છોકરીઓની લે-વેચના ધંધામાં જોડાયેલી હતી અને આ ટોળી આ રીતે ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવીને પૈસા ખંખેરતી હતી. અમરેલી એસપી જગદીશ પટેલે આ ફરિયાદ અરજીની ગંભીરતા ધ્યાને લઈ એફઆઈઆર નોંધવા આદેશ કર્યો છે.
સુરેશે પોતાનાથી યુવતીને થયેલા સંતાનના માથે બંદૂક તાકીને યુવતી સાથે ન આવે તો બાળકને પતાવી દેવા ધમકી આપી હતી. 7 એપ્રિલે દીપકે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જેને પગલે સુરત પોલીસે યુવતીને સાવરકુંડલાથી છોડાવી સ્થાનિક પોલીસને, અને સ્થાનિક પોલીસે મહિલા વિકાસ ગૃહને ર૧ એપ્રિલે સોંપી હતી.
એક વખત સુરેશ બહાર હતો ત્યારે સાવરકુંડલામાંથી યુવતી બહાર નીકળી ગઈ હતી અને દીપક મહેતા નામના યુવક સાથે પરિચય થતા બંનેએ ભાગીને જામનગરની કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. બાદમાં રહેવા માટે સુરત ચાલ્યા ગયા હતા. સુરેશને જાણ થઈ જતાં સુરેશ આવીને ફરીથી ઘરમાંથી આ યુવતીનું અપહરણ કરી ગયો હતો.
સુરેશ પણ યુવતીની સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધતો હતો. તેના કારણે યુવતીને ર૦૧૩માં એક પુત્રનો જન્મ થયો હતો. સાવરકુંડલાની ખાનગી હોસ્પિટલમાં યુવતીની પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને યુવતીનું નામ ખોટું લખાવાયું હતું. જો કે પતિ તથા સંતાનના પિતા તરીકે સુરેશે પોતાનું નામ લખાવ્યું હતું.
ગોંડલના માંડણકુંડલાના યુવક સાથે લગ્ન થયા બાદ સુરેશે વરરાજાને ધમકી આપીને કન્યાને પરત મૂકી જવા કહ્યું હતું. પછી યુવતીને સાવરકુંડલાના જેસર રોડ પર આવેલા એક મકાનમાં રાખી ત્યારે સુરેશનો કાકાનો દિકરો દિનેશ ખોડા અને નાના બારમણનો સંગ્રામ કાબાભાઈ ચોકી કરતા. બંને યુવતી સાથે પરાણે સેક્સ માણી હવસ સંતોષતા.
આ રીતે ગીરગઢડાના દ્રોણના પટેલ, માંડણકુંડલાના મહેશભાઈ મનુભાઈ, જૂનાગઢના કિસન પટેલ, વિસાવદરના સંજયભાઈ, વાસાવડના પટેલ, ધારીના સરંભડામાં ભરવાડ, ઉના ભાખામાં અલ્પેશ રતિલાલ, વીરમગામના બોર ગામે જગદીશ ભરવાડ વગેરે 11 પુરૂષ સાથે લગ્ન કરાવાયા હતા અને છૂટાછેડાના નામે લાખોની રકમ લીધી હતી.
સુરેશે તે પછી યુવતીને દલખાણીયા, વેરાવળ શાપર, સાવરકુંડલાના નેસડી રોડ, ધારીમાં ખીચા રોડ, ધારીની ગણેશ સોસાયટી, હરિપરામાં ખાડીયા વિસ્તાર વગેરે સ્થળે આ યુવતીને પોતાની રખાત તરીકે રાખી હતી. સુરેશ તેની સાથે શારીરિક સંબંધો બાંધતો અને એ રીતે તેણે લાંબા સમય સુધી તેનું જાતિય શોષણ કર્યું હતું.
સુરેશ યુવતીનું અપહરણ કરી તેને ગોંડલના નવાગામ ખાતે રહેતા ભીમભાઈ ભરવાડના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતીના પિતાએ શંકાના આધારે અન્ય ભળતા વ્યકિત સામે અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેથી પોલીસ યુવતી સુધી પહોંચી શકી નહોતી.
યુવતીએ અમરેલી જિલ્લા પોલીસને 12 જુને સોંપેલી લેખિત ફરિયાદ પ્રમાણે અમરેલીમાં હનુમાનપરા વિસ્તારમાં રહેતી યુવતીનું 2009માં ધારીના નાગધ્રાના સુરેશ સાર્દુલ ભરવાડે અપહરણ કર્યું હતું. બે સંતાનોનો પિતા અને પરીણિત સુરેશ બનાવ સમયે યુવતીના ઘરની બાજુમાં જ રહેતો હતો.
અમરેલીઃ ધ્રાંગધ્રાની યુવતીને ઉઠાવી જઈ તેને રખાત તરીકે રાખ્યા પછી એક પછી એક 11 પુરૂષો સાથે પરણાવી શારીરિક શોષણ કરાયાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીનું આઠ વર્ષ સુધી યૌનશોષણ કરાયું અને માર પણ મરાતો. અંતે થાકેલી યુવતી પોલીસ સમક્ષ જતાં પોલીસે તેની ફરિયાદ નોંધીને તપાસ આદરી છે.