વલસાડઃ પ્રેમલગ્ન પછી યુવકના અન્ય બે યુવતીઓ સાથે બંધાયા સંબંધ, પત્નીએ વિરોધ કરતાં શું થયું?

વલસાડ: શહેરના વશીયર સ્થિત રામેશ્વર પાર્કમાં રહેતા યુવકે પ્રેમલગ્ન પછી અન્ય બે યુવતીઓ સાથે લગ્નેત્તર સંબંધ બાંધતા પત્નીએ તેનો વિરોધ કર્યો હતો. જોકે, પતિ લાજવાને બદલે ગાજ્યો હતો અને હું તો હું રૂકસદ સાથે ફરતો રહીશ અને તેની સાથે શરીર સંબંધ પણ રાખીશ. તને ન ગમતું હોય તો જતું રહે. બાદમાં પત્નીને ઝેર પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
પુનમે દહેજ કે છુટાછેડા ન આપતા પતિ નૈષધ અને તેના પરિવારજનોએ બોગસ દસ્તાવેજો બનાવી પુનમની ગેરહાજરીમાં જ વકીલ પાસે છુટાછેડા કરાવી લીધા હતા. આ પ્રેમ પ્રકરણ હાલમાં કચ્છી અને રાજપૂત સમાજમાં ભારે ચર્ચાસ્પદ બની રહ્યું છે.
પત્ની પુનમે નૈષધને પોતાના ઘરે અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ સમયે નૈષધે પુનમને ધમકી આપી હતી કે, હું રૂકસદ સાથે હરીશ-ફરીશ. તને ન ગમતું હોય તો જતું રહે. એટલું જ નહીં, આ ઝઘડો આગળ વધતા નૈષધે પુનમને ઝેર પીવડાવી મારી નાંખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ પારડીના પોણિયા ગામના અને હાલ વલસાડના વશીયર ખાતે રામેશ્વર પાર્કમાં રહેતા નૈષિધસિંહ જિતેન્દ્રસિંહ રાઠોડના 2008માં મોગરાવાડી ખાતે રહેતી પુનમ ભાનુશાલી સાથે પ્રેમ લગ્ન થયા હતા. આ લગ્નને કારણે તેમને બે સંતાનો પણ છે. દરમિયાન નૈષધને અનિતા અને ત્યાર બાદ રૂકસદ નામની યુવતી સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા.
એટલું જ નહીં, નૈષધ રૂકસદ સાથે વિદેશમાં સ્થાયી થવાની પણ ધમકીઓ આપવા લાગ્યો હતો. નૈષધ અને તેના પરિવારવાળા પુનમ પાસે દહેજની માગણી પણ કરતા હતા. પરંતુ મધ્યમ પરિવારની પુનમ દહેજ ન આપી શકતા તેની પાસે છુટાછેડાની માગણી કરી હતી.