✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગણપત યુનિવર્સિટીના સ્થાપક અનિલ પટેલનું નિધન, કેન્સરથી હતા પીડિત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2018 12:26 PM (IST)
1

અનિલ પટેલ પ્રાથમિક શિક્ષણ લણવામાં મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ કડી સર્વ વિદ્યાલય માંથી મેળવ્યું હતું. અનિલ પટેલ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા માટે અમેરિકા ગયા હતા. અભ્યાસ બાદ અનિલ પટેલે મહેસાણામાં આવી સમાજસેવાની શરૂઆત કરી હતી. તેઓ 38 વર્ષની ઉંમરમાં મહેસાણાની નાગલપુર કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી બન્યા હતા. તેમણે ખેરવા ગામે ગણપત યુનિવર્સિટીની સ્થાપના કરી શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું.

2

પાટણ જિલ્લાના લણવા ગામે 8 માર્ચ 1944ના રોજ અનિલ પટેલનો જન્મ થયો હતો. અનિલ પટેલે મહેસાણા જિલ્લામાં તેમણે શૈક્ષણિક અને સામાજીક કાર્યોમાં ખૂબ કામ કર્યું હતું. અનિલ પટેલ ઉમિયા માતા ટ્રસ્ટના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુક્યા છે

3

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીના સ્થાપક પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ ભાઇ પટેલનું નિધન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી રહી ચૂક્યા છે. તેમના અંતિમ દર્શન ગણપત યુનિવર્સીટી ખેરવા કેમ્પસ ખાતે રાખવામાં આવ્યા છે. અનિલભાઇ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા હતા. અનિલભાઇના નિધનથી મહેસાણાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

  • હોમ
  • ગુજરાત
  • ગણપત યુનિવર્સિટીના સ્થાપક અનિલ પટેલનું નિધન, કેન્સરથી હતા પીડિત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.