ગુજરાતના રાજકારણમાં 'લાલ ટોપી' ભૂતપૂર્વ સાંસદનું નિધન, ક્યાંથી ચૂંટાયેલા ત્રણ ટર્મ માટે? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jan 2018 11:44 AM (IST)
1
અમદાવાદઃ માજી કેન્દ્રીય પ્રધાન ઉત્તમ હરજી પટેલનું 91 વર્ષની વયે ટૂંકા માંદગી બાદ આજે નિધન થયું છે. ઉત્તમ હરજી સતત ત્રણ ટર્મ સુધી વલસાડના સાંસદ રહ્યા હતા. તેમણ વલસાડના ડુમલાવામાં આજે અંતિમશ્વાસ લીધા.
2
પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉત્તમ હરજી પારડી ખેડ સત્યાગ્રહના પ્રણેતા તરીકે જાણીતા હતા અને ખેડૂતો, ગરીબો અને આદિવાસીઓના શોષણ સામે તેઓએ ખેડ સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો.
3
આવતી કાલે તેમના માદરે વતન વલસાડના ડુમલાવમાં અંતિમવિધિ કરવામાં આવશે. ઉત્તમ હરજીના નિધન બાદ સમગ્ર જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
= 3">