દુષ્કર્મના આરોપી આસારામની સંસ્થાને ગુજરાત સરકારના મંત્રીએ શું શુભેચ્છા સંદેશ આપ્યો, જાણો વિગત

ચુડાસમાએ લખ્યું છે કે, 14 ફેબ્રુઆરી, 2019ના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આપની સંસ્થા દ્વાર નવીન અભિયાનનો શુભારંભ કરેલ છે, જે સરાહનીય છે. આપનું આ મહાઅભિયાન વધુને વધુ આગળ વધે અને કન્યા-કુમારો, યુવાન-યુવતિઓ આજના આધુનિક યુગમાં માતા-પિતા પ્રત્યેની ફરજો સમજે અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે. આપની સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્ય માટે મારી શુભકામના પાઠવું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતાં વેલેન્ટાઇન ડેની આસારામ આશ્રમની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેને લઈ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

કોંગ્રેસે રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આસારામની સંસ્થાને આપેલી શુભેચ્છાને લઈ પ્રહાર કરતાં જણાવ્યું કે, માત્ર વોટબેંક મેળવવા આસારામ જેવા લોકોની સંસ્થાને શુભેચ્છા આપવામા આવી છે. આસારામ હાલ દુષ્કર્મના કેસમાં જેલમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -