ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓને મળી મંજૂરી, જાણો વિગત
વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીને ઓછા વ્યાજ દરે લોન આપવા માટે પરિવારની આવક મર્યાદા પહેલા 4 લાખ નક્કી કરવામાં આવી હતી, તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. હવેથી 6 લાખ પારિવારિક આવક મર્યાદા હશે તે વિદ્યાર્થીઓને પણ વિદેશ કે રાજ્ય બહાર અભ્યાસ કરવા માટે ઓછા વ્યાજદરે લોન આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા ગુજરાતમાં સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે મહત્વની જાહેરાત કરતા લાભાર્થીની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. પહેલા આ આવક મર્યાદા 3 લાખ હતી, જે હવે 4.50 લાખ કરવામાં આવી છે. આ સિવાય ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં માત્ર મેડિકલના અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવતી હતી, હવેથી માત્ર મેડિકલ જ નહી પરંતુ અન્ય અભ્યસક્રમ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને પણ ઓછા વ્યાજ દરે લોન આપવામા આવશે. આ યોજનાનો લાભ ગુજરાત બહાર અન્ય રાજ્યમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ મળશે.
ગાંધીનગર: ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત બિન અનામત શેક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનામાં સુધારો કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, ભોજન બીલ સહાય યોજના, ટ્યુશન સહાય યોજના, ગુજકેટ, નીટ અને જી ની પરીક્ષા માટે કોચીંગ સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય આપવાને મંજૂરી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -