રૂપાણી સરકારને આ નિર્ણયથી રાજ્યના હજારો કર્મચારીઓને પડ્યો મોટો ફટકો, જાણો વિગત
આ પહેલા સરકારી કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફન્ડ પર 7.8 ટકા વ્યાજ ચૂકવવાના આદેશ 1 જુલાઇ 2017થી કર્યા હતા. જે મુજબ અત્યારસુધી વ્યાજ ચૂકવવામાં આવતું હતું પરંતુ તાજેતરમાં ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી 3 મહિનાના સમયગાળા માટે 7.6 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હોવાથી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ 1 જાન્યુઆરી 2018થી જીપીએફ પર 7.6 ટકા લેખે વ્યાજ દર રહેશે.
નાણાં વિભાગે જીપીએફ વ્યાજ દરમાં 0.2 ટકાના ઘટાડાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે પીએફના વ્યાજ દરમાં 0.2 ટકાનો ઘટાડો કર્યો હતો.
ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા પીએફના વ્યાજ દરમાં કરવામાં આવેલ ઘટાડાનો અમલ હવે જીપીએફમાં કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે જીએફએના વ્યાજ દરમાં 0.2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ગાંધીનગરઃ હાલમાં જ કેન્દ્ર સરકારે નાની બચત અને પીએફના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડાની અસર હવે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પર પણ પડવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણયને પગલે ગુજરાત સરકારના કર્મચારીઓને મોટો ફટકો પડશે.